વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 11 મે 1998 એ પોખરણમાં ભારતનાં પરમાણુ પરિક્ષણની 22 મી જયંતીએ દેશનાં વૈજ્ઞાનિકોને સલામ કરી છે. તેમણે તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નેતૃત્વ પણ યાદ કર્યું. અણુ ટેકનોલોજીમાં ભારતની ઐતિહાસિક સિદ્ધિનાં સ્મરણાર્થે 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટિ્વટ કર્યું હતું કે, ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ પર અમારું રાષ્ટ્ર તે દરેકને સલામ કરે છે જે અન્યોનાં જીવનમાં સકારાત્મક તફાવત લાવવા માટે ટેકનોલોજીનો લાભ લઈ રહ્યા છે. 1998 માં આ દિવસે અમારા વૈજ્ઞાનિકોની અસાધારણ સિદ્ધિ અમને યાદ છે. તે ભારતનાં ઇતિહાસમાં એક ઐતિહાસિક ક્ષણ હતી.’
On National Technology Day, our nation salutes all those who are leveraging technology to bring a positive difference in the lives of others. We remember the exceptional achievement of our scientists on this day in 1998. It was a landmark moment in India’s history.
— Narendra Modi (@narendramodi) May 11, 2020
એક અન્ય ટ્વીટમાં પીએમ મોદીએ તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનાં રાજકીય નેતૃત્વને સલામ આપી હતી. તેમના ‘મન કી બાત‘ કાર્યક્રમથી સંબંધિત વીડિયો શેર કરતાં તેમણે લખ્યું કે, ‘1998 માં પોખરણનાં પરીક્ષણે તે પણ બતાવ્યુ કે એક મજબૂત રાજકીય નેતૃત્વ કેવી પ્રકારનો તફાવત લાવી શકે છે. ‘મન કી બાત‘ નાં એક કાર્યક્રમમાં મેં પોખરણ, ભારતીય વૈજ્ઞાનિકો અને અટલ જી નાં અદ્ભુત નેતૃત્વ હેઠળ આ વાતો કહી હતી.‘
The tests in Pokhran in 1998 also showed the difference a strong political leadership can make.
Here is what I had said about Pokhran, India’s scientists and Atal Ji’s remarkable leadership during one of the #MannKiBaat programmes. pic.twitter.com/UuJR1tLtrL
— Narendra Modi (@narendramodi) May 11, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ટેકનોલોજી વિશ્વને કોરોનામાંથી મુક્ત કરવા પ્રયાસ કરી રહી છે. તેમણે લખ્યું, ‘વિશ્વને COVID-19 મુક્ત કરવાના પ્રયત્નમાં ટેક્નોલોજી ખૂબ મદદરૂપ થઈ છે. કોરોના વાયરસને હરાવવા માટે નવી પદ્ધતિઓ પર સંશોધન અને નવીનતા તરફ દોરી રહેલા લોકોને હું સલામ કરું છું. અમે આ ગ્રહને વધુ આરોગ્યપ્રદ અને વધુ સારો બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું ચાલુ રાખીશું.‘
Today, technology is helping many in the efforts to make the world free from COVID-19. I salute all those at the forefront of research and innovation on ways to defeat Coronavirus. May we keep harnessing technology in order to create a healthier and better planet.
— Narendra Modi (@narendramodi) May 11, 2020
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, “1998 નાં પરમાણુ પરિક્ષણોની વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસને યાદ કરતા સાથી નાગરિકોને અભિનંદન.” આ પ્રસંગે, આપણે રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવામાં વૈજ્ઞાનિક સમુદાયનાં અવિનય યોગદાનની ઉજવણી કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.