કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા મુજબ ભારતમાં કોરોના વાયરસનાં 67,152 કેસ નોંધાયા છે. તેમાંથી 44,029 સક્રિય કેસ છે. 20,916 લોકો સ્વસ્થ થયા છે અને 2,206 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં સૌથી વધુ કેસ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તામિલનાડુથી બહાર આવતા કોરોનાનાં નવા કેસોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. એક રિપોર્ટ મુજબ, તમિલનાડુમાં એક જ દિવસમાં અત્યાર સુધીમાં 798 નવા કોરોના વાયરસનાં કેસ નોંધાયા છે, ત્યારબાદ રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 8,002 થઈ ગઈ છે.
નોંધપાત્ર વાત એ છે કે, દેશવ્યાપી લોકડાઉન 50 થી વધુ દિવસોથી લાગુ કરવામાં આવ્યું છે પરંતુ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી તમિલનાડુમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યામાં તીવ્ર વધારો થયો છે, ત્યારબાદ રાજ્ય કોરોના લિસ્ટ રાજ્યોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. તમિલનાડુમાં સોમવારે એક દિવસમાં સૌથી વધુ દર્દીઓ જોવા મળ્યા હતા. આ દિવસે નવા કોરોના દર્દીઓની પુષ્ટિ થયા પછી, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 8,002 થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કોરોનાથી 6 લોકોનાં મોત પણ થયા છે.
તમિલનાડુમાં અત્યાર સુધીમાં 53 લોકોએ જીવ ગુમાવ્યો છે, 2,051 લોકો કોવિડ-19 થી ઠીક થયા છે. રાજ્યમાં કુલ 5,898 સક્રિય કોરોના દર્દીઓ છે. હાલનાં સમયમાં તમિલનાડુમાં કોરોના વાયરસનાં ચેપમાં વધારો થવાનું એક કારણ રાજ્ય દ્વારા લેવામાં આવતા પરીક્ષણોની સંખ્યામાં ઝડપી વધારો છે. તમિલનાડુએ ઘણા વધુ લોકોનાં ટેસ્ટ કર્યા છે, જેના પગલે ઘણા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, તામિલનાડુ 10 લાખ વસ્તીનાં 2,806 નમૂનાઓનું પરીક્ષણ કરી રહ્યું છે.
આપને જણાવી દઇએ કે, તમિલનાડુમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા દિલ્હી કરતા પણ વધી ગઈ છે. કોરોના પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર અને ગુજરાત પછી તમિલનાડુ હવે દેશમાં ત્રીજા ક્રમે આવ્યું છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે નોંધાયેલા 699 નવા કેસ અને સોમવારે નવા નોંધાયેલા કેસને કારણે રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 8૦૦૦ ને વટાવી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.