ભારતમાં કોરોના વાયરસનો એક દિવસમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 4,987 નવા કેસ નોંધાયા છે અને લગભગ 120 લોકોનાં મોત નીપજ્યાં છે. રવિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના વાયરસનાં કેસો વધીને 90,927 થયા છે અને કોવિડ-19 થી 2,872 લોકોનાં મોત નીપજ્યાં છે.
કોરોનામાં કુલ 90,927 કેસોમાંથી 53,946 સક્રિય કેસ છે, જ્યારે 34,108 લોકો ઠીક થઇ ચુક્યા છે અથવા તેમને રજા આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 1,135 લોકોનાં મોત નીપજ્યાં છે. હવે આ રોગચાળાથી પીડિતોની સંખ્યા 30,706 પર પહોંચી ગઈ છે.
#COVID19: 120 deaths have occurred in the last 24 hours, Ministry of Health and Family Welfare https://t.co/GLgYHOHWyj
— ANI (@ANI) May 17, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.