દેશમાં કોરોના વાયરસનો કહેર ચાલુ છે. કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન કરવાથી અર્થવ્યવસ્થાને ભારે નુકસાન થઈ રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે નાની-મોટી કંપનીઓની હાલત કથળી છે. પરંતુ સૌથી વધુ ફટકો દેશનાં નાના કરિયાણાનાં દુકાનદારોને થઇ રહ્યો છે.
મળી રહેલી માહિતી મુજબ, દેશમાં લગભગ સાત લાખ નાના કરિયાણાની દુકાનો પર માર પડી છે. સ્થિતિ એવી છે કે આ દુકાનો બંધ થવાના આરે પહોંચી ગઈ છે. આ દુકાનોથી લાખો લોકોનો રોજગાર ચાલે છે અને આજીવિકા તેનાથી જ ચાલેતી હતી. આ દુકાનો ઘરો અથવા શેરીઓમાં છે. એક રિપોર્ટ અનુસાર, દેશમાં લગભગ એક કરોડ નાના કરિયાણાનાં દુકાનદારો છે. આ દુકાનદારોને માલનાં વેચાણ માટે સામાન લાવવું પડે છે. એક કરોડ નાના કરિયાણાનાં દુકાનદારોમાંથી આશરે છ થી સાત ટકા દુકાનદારો માલ લાવવા અને દુકાનમાં જવા માટે જાહેર વાહનોનો ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા બે મહિનાથી લોકડાઉન થવાને કારણે, તેઓ તેમની દુકાન પર જઈ શકતા નથી અને ખોલી શકતા નથી. આવી સ્થિતિમાં તેમની સામે એક મોટો આર્થિક સંકટ આવી ગયો છે.
લોકડાઉન હટાવ્યા પછી પણ નાના કરિયાણાનાં દુકાનદારો માટે રસ્તો સરળ નથી. ઉદ્યોગ નિષ્ણાતો કહે છે કે રોકડની અછત અને ગ્રાહકોનો અભાવ હવે તેમના માટે એક મોટો પડકાર છે. નિષ્ણાતો માને છે કે સામાન્ય રીતે કરિયાણાનાં દુકાનદારો અથવા જથ્થાબંધ વેપારી અથવા ગ્રાહક ઉત્પાદનો કંપની 7 થી 21 દિવસ એટલે કે બે થી ત્રણ અઠવાડિયા સુધી માલ પહોંચાડે છે. દરેક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતાથી ડરી રહ્યા છે, જેના કારણે ધિરાણ પર માલ મેળવવાનું મુશ્કેલ બનશે. આવી સ્થિતિમાં, આ દુકાનો ફરીથી ખોલવી ખૂબ મુશ્કેલ રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.