ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જી હા, આ નિર્ણય આપણા પડોશી અને દુશ્મન દેશ પાકિસ્તાન માટે આધાત આપતો નિર્ણય કહી શકાય તેવો છે. દિલ્હી સ્થિત પાકિસ્તાની દૂતાવાસ ખાતે જાસૂસીનો કેસ સામે આવ્યા બાદ અને ઈસ્લામાબાદમાં ભારતીય રાજદ્વારીઓ સાથેના દુર્વ્યવહાર બાદ ભારતે હવે પાકિસ્તાન સામે એક મોટું પગલું ભર્યું છે. ભારત હવે પાકિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોને ઘટાડશે. ભારતે મંગળવારે 23 જૂને પાકિસ્તાનને નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં તેના કાર્યબળમાં 50 ટકાનો ઘટાડો કરવા જણાવ્યું છે.
આપને જણાવી દઇએ કે, નવી દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસમાંથી બે કર્મચારીઓને રંગે હાથ જાસૂસી કરતા પકડાયાના અઠવાડિયા પછી ભારત તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની દૂતાવાસમાંથી બે કર્મચારીઓને રંગે હાથ જાસૂસી કરતા પકડાયાનાં જવાબમાં પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના બે કર્મચારીઓને પકડ્યા અને ત્રાસ આપ્યા. આ બંનેને માર્ગ અકસ્માત અને બનાવટી ચલણના કેસમાં ફસાયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….