ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે LAC પર ચીન સાથેની યુદ્ધની સ્થિતિમાં પોતાનાં જીવનાં ભોગે દેશની શાન સાચવી શહીદી વહોરનારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. અમદાવાદ શાહીબાગ સ્મારક ખાતે કોંગ્રેસ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતનાં અનેક કોંગ્રેસી નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહેશે. આપને જણાવી દઇએ કે, ચીન સામેની લડાઈમાં ભારતનાં 20 જવાનોએ શહાદત વહોરી હતી. શહીદોની શહાદતનાં માનમાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો આ કાર્યક્રમ યોજી ગુજરાત કોંગ્રેસનાં કાર્યકરો શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….