ગુજરાતમાં કાળમુખાનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે, ત્યારે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત કહી શકાય તે ગુજરાતનું મેગા સીટી કોરોનાની પકડને તોડવામાં સફળ થયુ હોય તેવુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડા પાછલા દિવસોથી કહી રહ્યા છે. અમદાવાદમાં સંક્રમણની સંખ્યા અને મૃત્યું આંકમાં ભારે પ્રમાણમાં ઘટ જોવામાં આવી રહી છે. અનેક લોકો કોરોનાને માત આપી કોરોના સામેનો જંગ જીતી સાજા પણ થયા હોવાનું સામે આવી રહ્યું છે.
પરંતુ કોરોના ચાલ્યો ગયો નથી અને કોરોના સામેની લડાઇ હજુ પણ ચાલી જ રહી છે. જી હા, અમદાવાદ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન અંગે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. અમલોક – 2.0 અને કેન્દ્ર સરકારની કોરોના અંગે નવી માર્ગદર્શીકા બાદ અમદાવાદ તંત્ર દ્વારા માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી 2 વિસ્તારોને મુક્તિ કરવામાં આવ્યા છે. સાથે સાથે કોરોનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શહેરમાં 26 નવા વિસ્તારોને માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….