રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં બનાવવામાં આવેલ સ્માર્ટઘર-૨ અને સ્માર્ટઘર-૩ની કુલ ૩૮ દુકાનોની આજે તારીખ: ૧૭-૦૩-૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે જાહેર હરરાજી કરવામાં આવી હતી,જેમાં તમામ ૩૮ દુકાનોનું હરરાજી દરમ્યાન કરવામાં મહાનગરપાલિકાને સફળતા પ્રાપ્ત થઈ હતી એટલું જ નહીં આ દુકાનોની હરરાજીથી મહાનગરપાલિકાને કુલ ૦૮.૫૦ કરોડની આવક થયેલ છે.
આ દુકાનો ૧૧.૮૯ ચો.મી. થી ૨૧.૨૧ ચો.મી. સુધી સાઈઝની દુકાનો છે. દુકાનોની અપસેટ કીંમત રૂ.૯.૮૦ લાખ થી રૂ.૨૦.૨૦ લાખ સુધીની રાખવામાં આવી હતી, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવેલ હતું.
આ જાહેર હરાજી તમામ અરજદારો માટે રાખવામાં હતી. જેમાં ૬૭ અરજદારોએ ભાગ લીધો હતો. હરરાજીમાં ભાગ લેવા માટે એક લાખ રૂપિયા ડીપોઝીટ રાખવામાં આવી હતી. જે અરજદારોએ રૂ. એક લાખ રોકડાં અથવા બેંક ડીમાન્ડ ડ્રાફટથી ડીપોઝીટ ભરી હરરાજીમાં ભાગ લીધો હતો. ડીપોઝીટની રકમ હરરાજી પુર્ણ થયે સ્થળ ઉપર જ પરત આપવામાં આવી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…