Uttar Pradesh News: ઉત્તર પ્રદેશમાં આજે યોગી આદિત્યનાથ સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું છે. રાજ્યના રાજભવનમાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ચાર નવા મંત્રીઓને મંત્રીપદના શપથ લેવડાવ્યા છે. મંત્રી તરીકેની શપથ લેનારા SBSP પ્રમુખ ઓ.પી. રાજભર, BJP એમએલસી દારાસિંહ ચૌહાણ, સાહિબાબાદના BJPના ધારાસભ્ય સુનિલ શર્મા, RLDના પુરકાજી ધારાસભ્ય અનિલ કુમારનો સમાવેશ થાય છે.
उत्तर प्रदेश सरकार में आज मंत्री पद की शपथ लेने वाले सभी साथियों को हार्दिक बधाई!
पूर्ण विश्वास है कि आप सभी ‘मोदी की गारंटी’ को धरातल पर उतारते हुए ‘विकसित उत्तर प्रदेश’ के संकल्प की सिद्धि में महत्वपूर्ण भूमिका निभाएंगे।
आप सभी के उज्ज्वल कार्यकाल के लिए मेरी मंगलमय…
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 5, 2024
લોકસભા ચૂંટણી પૂર્વે ઉત્તર પ્રદેશમાં આજે યોગી આદિત્યનાથની કેબિનેટનું વિસ્તરણ થઈ ગયું છે. સુનીલ શર્માએ 2017 અને 2022માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ગાઝિયાબાદની સાહિબાબાદની બેઠક પરથતી જીત મેળવી હતી. ઓ પી રાજભરે પહેલા ભાજપનો સાથ છોડ્યો હતો. જોકે, 5 વર્ષ પછી યોગીની કેબિનેટ બેઠકમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અનિલકુમાર મુજફ્ફરનગરની પુરકાજી બેઠક પર આએલડીના સભ્ય છે. તેઓ ગઠબંધન સમજૂતીના આધારે કેબિનેટમાં મંત્રી બન્યા છે. દારાસિંહ ચૌહાણ પહેલા ભાજપમાંથી સમાજવાદી પાર્ટીમાં જતા રહ્યા હતા. બાદમાં રાજીનામુ આપી ભાજપમાં ફરીથી જોડાયા હતા. હાલમાં તેઓ વિધાન પરિષદના સભ્ય છે. અને ફરીથી મંત્રી તરીકેના શપથ લીધા છે.
આ પણ વાંચો :સુકો બરફ ખાવાથી હોસ્પિટલ પહોંચવાનો વારો આવ્યો, જાણો Dry Ice વિશે…
આ પણ વાંચો : Bhart jodo yatra/‘તે ઈચ્છે છે તમે આખો દિવસ મોબાઈલ પર રહો, જય શ્રી રામ બોલો, ભૂખે મરો’, આ