છેલ્લા કેટલાક મહિનાઓથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો કડવાશના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ આ તણાવ વધુ વધી ગયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ગયા મહિને ભારતની ગુપ્તચર એજન્સીઓ પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તણાવ એટલો વધી ગયો કે બંને દેશોએ એકબીજા સામે કડક પ્રતિબંધાત્મક પગલાં લીધા. તણાવ વચ્ચે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે જસ્ટિન ટ્રુડોએ લોકોને નવરાત્રીની શુભકામના પાઠવી હતી.
Happy Navratri! I’m sending my warmest wishes to members of the Hindu community and all those who are celebrating this festival. https://t.co/ISCjvJqnKJ
— Justin Trudeau (@JustinTrudeau) October 15, 2023
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, “નવરાત્રિની શુભકામનાઓ! હું હિન્દુ સમુદાયના સભ્યો અને આ તહેવારની ઉજવણી કરનારા તમામ લોકોને મારી હાર્દિક શુભેચ્છા પાઠવું છું.”