અમદાવાદના એલિજબ્રિજ વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે.તક્ષશિલાની એર બિલ્ડિંગમાં આગ લાગતા ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. બિલ્ડીંગના 12માં માળે આગ લાગવાની ઘટના બની હતી.
બિલ્ડિંગમાં આગ લાગી
આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ કયા કારણોસર લાગી છે તે હજી સ્પષ્ટ થયું નથી. આગને કારણે સદનસીબે હાલ કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.આ આગમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.
આ પહેલા પણ નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ દુર્ઘટનામાં પતિ પત્નીના મોત થયા હતા. પતિ પત્નીના મૃતદેહ હોસ્પિટલના પ્રથમ માળેથી મળી આવ્યા હતા.ત્યાં શહેરમાં ફરી આગની ઘટનામાં ત્રણ જીંદગીઓ હોમાઈ હતી.
થોડા દિવસ પહેલા પણ નારોલ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. નારોલની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. આનંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં રાખેલા રેસીન અને પીગમેન્ટના કેમિકલનાં ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા જ ગોડાઉનમાં કામ કરતા લોકો બહાર દોડી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો:સ્વયંભુ પ્રગટ પીપળેશ્વર મહાદેવના ભવ્યાતિભવ્ય અતિરૂદ્ર મહા યજ્ઞનો પ્રારંભ