આસામના સીએમ અને બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમા પોતાના નિવેદનોને લઈને વિવાદમાં ફસાયેલા જણાય છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ને લઈને સરમાના નિવેદનો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો :રવિદાસ જયંતિ નિમિતે PM મોદી પહોંચ્યા કરોલ બાગના રવિદાસ મંદિર, કીર્તનમાં વગાડ્યા મંજીરા
ANI અનુસાર, હૈદરાબાદ પોલીસે આ મામલામાં સરમા વિરુદ્ધ FIR નોંધી છે. સમાચાર એજન્સી ANI અનુસાર, પોલીસે કહ્યું છે કે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા વિરુદ્ધ હૈદરાબાદ શહેરમાં IPCની કલમ 504 અને 505(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે TPCC પ્રમુખ અને સાંસદ મલ્કજગિરી એ રેવન્ત રેડ્ડીએ રાહુલ ગાંધી વિરુદ્ધ તેમની તાજેતરની પિતા-પુત્રની ટિપ્પણી માટે નોંધાવેલી ફરિયાદ બાદ કેસ નોંધવામાં આવ્યો છે.
હકીકતમાં, સરમાએ તાજેતરમાં રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ પછી સરમાએ કોંગ્રેસ નેતા પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસના નેતામાં જિન્નાનું ભૂત ઘુસી ગયું છે. તેમણે કહ્યું, તેમને (કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી) એવું લાગે છે કે ભારત માત્ર ગુજરાતથી પશ્ચિમ બંગાળ સુધીનું છે. છેલ્લા 10 દિવસમાં તે શું કહે છે તે હું જોઈ રહ્યો છું. એકવાર તેમણે કહ્યું કે ભારત એ રાજ્યોનો સંઘ છે. બીજી વાર તેઓ કહે છે કે ભારત એટલે ગુજરાતથી બંગાળ.
તેમણે વધુમાં કહ્યું કે, હું કહું છું કે રાહુલ ગાંધીમાં જિન્નાનું ભૂત ઘુસી ગયું છે, મેં ઉત્તરાખંડમાં આવું કહ્યું હતું. રાહુલ ગાંધીની ભાષા 1947 પહેલાના જિન્ના જેવી જ છે. એક રીતે જોઈએ તો રાહુલ ગાંધી આધુનિક જિન્ના છે.
આ પણ વાંચો : મન સ્વસ્થ થાય ત્યારે જ વિકાસની ગંગા, રવિદાસ જયંતિ પર BSP સુપ્રીમો માયાવતી બોલ્યા
આ પણ વાંચો :NSA અજીત ડોભાલના ઘરમાં કાર લઇને ઘૂસવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો
આ પણ વાંચો : કેબિનેટ મંત્રી નીતિન ગડકરીનો જાણો શુ છે ડ્રીમ પ્રોજેકટ..
આ પણ વાંચો :નક્સલવાદીઓ પર લગામ લગાવવા માટે આક્રમક વ્યૂહરચના, સતત ઠેકાણું બદલવા મજબૂર બન્યા