આઈસીઆઈસીઆઈ બેંક બોર્ડે સીઇઓ ચંદા કોચરને રજાઓ પર મોકલવાની વાતોનું ખંડન કર્યું છે. બેંક મેનેજમેન્ટનું કહેવું છે કે ચંદા કોચર એન્યુઅલ લીવ પર છે, જે રજાઓ પહેલાથી જ નક્કી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતુ કે, વિડીયોકોન કેસમાં ચંદા કોચર વિરુદ્ધ તપાસ પૂરી થાય ત્યા સુધી તેમને રજા પર જવાનું કહી દેવામાં આવ્યું હતું. પ્રબંધને નવા સીઇઓની શોધ માટે કમિટીના સંરચનાની ખબર પર પણ નકારી કાઢી હતી.
- આઈસીઆઈસીઆઈ બેંક કરી રહી છે સ્વતંત્ર તપાસ:
બેન્કે ચંદા કોચર વિરુદ્ધ તપાસ શરુ કરી દીધી છે. બોર્ડે કહ્યું છે કે તપાસની અવકાશ વિગતવાર રહેશે અને તે અંતર્ગત બધા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે. જરૂર પાડવા પર ફોરેન્સિક તપાસ અને ઈમેઈલની તપાસ પણ કરવામાં આવશે. આ મામલાથી જોડાયેલા લોકોનાં નિવેદનો લેવામાં આવશે, અને તેને રેકોર્ડ કરવામાં આવશે. જેમ કે બોર્ડે જણાવ્યું હતું કે તેમને ચંદા કોચર પણ પૂર્ણ વિશ્વાસ છે.
આપને જણાવી દઈએ કે લોનનાં મામલામાં ચંદા કોચર અને તેમના પરિવાર પર ધોખાધડીનો આરોપ છે.