રથયાત્રા/ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથનુ કરાયું પૂજન, ગૃહરાજ્યમંત્રી ચંદન પૂજામાં જોડાયા

દર વર્ષે ગુજરાતમાં જેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તેભગવાન જગન્નાથજીની રથયાત્રા-નગરયાત્રા માટે કોરોનાને કારણે મામલે ભારે અસમંજસ જોવા મળી રહ્યું હતું તેની વચ્ચે ભગવાન જગન્નાથજીની

Top Stories Gujarat Dharma & Bhakti
rathyatra vidhi puja ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથનુ કરાયું પૂજન, ગૃહરાજ્યમંત્રી ચંદન પૂજામાં જોડાયા

દર વર્ષે ગુજરાતમાં જેની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે તેભગવાન જગન્નાથજીની રથયાત્રા-નગરયાત્રા માટે કોરોનાને કારણે મામલે ભારે અસમંજસ જોવા મળી રહ્યું હતું તેની વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા  પહેલાં આજે શુક્રવારે સવારે 9 વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. આજે અક્ષય તૃતીયાનો દિવસ છે. ત્યારે આજે જગન્નાથ મંદિરમાં આવેલ 3 ઐતિહાસિક રથની પૂજા કરવામાં આવી છે. જેને ચંદન પૂજા કહેવામા આવે છે. ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ આ પૂજામાં જોડાયા હતા.

ગણતરીના લોકોની હાજરીમાં ચંદન પૂજા 

આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા કરવાની વિધિ કરાઈ હતી. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન કરવામાં આવ્યુ હતું. આ વિધિ અત્યંત સાદગીથી અને ગણતરીના લોકોની હાજરીમાં કરાઈ હતી. ત્યાર બાદ જ વિધિગત રથયાત્રાની અન્ય વિધિ અને રથનું સમારકામ શરૂ થાય છે. ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આવતીકાલે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યુ હતું. મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથનું પૂજન કરવામાં  આવ્યુ હતું.રથપૂજનમાં અન્યકોઈ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું,અને ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવી હતી.

24મી જૂને પણ જળયાત્રા મામલે હજી નિર્ણય લેવાયો નથી

24મી જૂને પણ જળયાત્રા કઈ રીતે કાઢવી એ મામલે હજી નિર્ણય લેવાયો નથી. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

kalmukho str 11 ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરામના રથનુ કરાયું પૂજન, ગૃહરાજ્યમંત્રી ચંદન પૂજામાં જોડાયા