મુખ્યમંત્રી રૂપાણી દ્વારા બોર્ડની પરીક્ષાઓ નિયત સમયે અને નિર્ધારિત તારીખો પ્રમાણે જ યોજવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં થઈ રહેલી અસમંજસને દૂર કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું.તેની વચ્ચે વિદ્યાર્થીઓ માટે એક આંશિક રાહતના સમાચાર મળ્યા છે કે ધોરણ 10માં બોર્ડની પ્રાયોગિક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
કોરોના મહામારી / અખિલેશ યાદવ કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી
જે અંતર્ગત ધોરણ 10ની શારીરિક શિક્ષણ અને કોમ્પ્યુટર વિષયની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.કોરોનાની મહામારીના કહેરના કારણે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.બે લેખિત મુખ્ય વિષયની પરીક્ષા લેવાયા બાદ પ્રાયોગિકપરીક્ષાઓ લેવાશે.આવામાં અગાઉ શાળાના કક્ષાના વિષયની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓ 15 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કરવાનું આયોજન હતું. ત્યારે હવે પ્રેક્ટિકલ પરીક્ષાઓની તારીખ બદલી દેવામાં આવી છે.
બેકાબુ કોરોના / કોરોનાની કથળેલી પરિસ્થિતિ પર PM મોદીની નજર, આજે કરશે રાજ્યપાલો સાથે મહત્વપૂર્ણ બેઠક
ધોરણ 10 બોર્ડની સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા તમામ આચાર્યોને SSC બોર્ડની પરીક્ષા સંદર્ભે પત્ર લખીને આ અંગે જાણ કરાઈ છે. SSC બોર્ડની મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થાય ત્યારબાદ 3 દિવસમાં શાળા કક્ષાએ સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરીક્ષા લેવા આદેશ કરાય છે. આગામી મહિને 10 થી 25 મે દરમિયાન યોજાનાર છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…