ગુજરાત ની શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકાર પ્રજા હિત ના નિર્ણયો ઝડપ થી લઇ ને વહીવટી તંત્ર ને સરળ બનાવી રહી છે તેના ભાગ રૂપે મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ જનતા માટે ત્વરિત નિર્ણયો લેવા કમર કસી છે . અને આ હુકમો સાથે શ્રી ત્રિવેદી એ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અધિકારી ઓ પણ પોતાની બઢતી આપેલી જગ્યા એ ત્વરિત કામગીરી શરૂ કરી દેશે. અને જે રીતે સરકાર ઝડપથી નિર્ણય લે છે તે ઝડપથી અધિકારી ઓ પ્રજાના કાર્યો કરશે.
મહેસુલ વિભાગ અને જિલ્લા ની મહેસૂલી કચેરી ઓ માં લાંબા સમય થી મામલતદાર ની ખાલી પડેલી જગ્યા ઓ અને નાયબ મામલતદારો ની બઢતી બાબતે ઘણા સમય થી રજૂઆતો હતી,તે આજે પરિપૂર્ણ થઇ છે દિવાળીની ભેટ સ્વરૂપે અનેક નાયબ મામલતદારોને પ્રમોશન આપ્યા છે અને અનેક મામલતદારોને ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી આપી છે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી એ વહીવટી તંત્ર ને વધુ જીવંત અને સરળ બનાવવા માટે દિવાળી અગાઉ રજાના દિવસો માં પણ અંગત રસ લઈ સીધી દેખરેખ હેઠળ નિર્ણય લીધો છે.
કર્મચારી ઓ ના હિત ને ધ્યાને લઈ ૧૧૮ નાયબ મામલતદારો ને પ્રમોશન આપી મામલતદાર તરીકે અને ૧૩ મામલતદારો ને બઢતી આપી ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી આપવામાં આવી . સાથે સાથે ૧૫૫ મામલતદારો ને બદલી માં હુકમો થઈ કુલ ૨૮૬ મહેસૂલી અધિકારી ઓ ના હુકમો કરવા માં આવ્યા આ અઠવાડિયામાં અગાઉ ૪૦ જેટલા મામલતદારોની બદલી અંગે ના હુકમો કરવામાં આવ્યા હતા