Not Set/ રાજય માં કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકોને 18 વર્ષને બદલે હવે 21 વર્ષ સુધી સહાય અપાશે

યોજનામાં વય મર્યાદા  18 થી વધારીને 21 વર્ષ કરી દેવામાં આવી છે.

Gujarat Others

  રાજય માં  થોડા દિવસ  પહેલા જ  મુખ્યમંત્રી  રૂપાણી  દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના નો  પ્રારંભ  કરવમાં આવ્યો હતો . જે અંતર્ગત આજે જ  મુખ્યમંત્રી  દ્વારા   માતા-પિતાની છત્ર છાયા ગુમાવી અનાથ અને નિરાધાર બનેલા બાળકો સાથે ગાંધીનગરમાં યોજાયેલા ‘મોકળા મને’ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એક સંવેદનશીલ જાહેરાત કરી છે.  જે અંતર્ગત આ  યોજનામાં વય મર્યાદા  18 થી વધારીને 21 વર્ષ કરી દેવામાં આવી છે. એટલે કે પુખ્ત વય સુધી નિરાધાર બનેલાને માસિક રૂ. 4 હજારની સહાય આપવામાં આવશે.

કોરોનામાં માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર થયેલાની વય 21 વર્ષ થાય સુધી રાજ્ય સરકાર દર મહિને 4 હજારની સહાય આવા બાળક ને આપશે.ગુજરાત રાજયમાં કોરોના કાળ દરમિયાન અનાથ બનેલા બાળકો માટે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મૂકાઈ છે. આ યોજના હેઠળ કોરોના કાળ દરમિયાન 0થી 18 વર્ષની વયજૂથના બાળકો કે જેના માતા-પિતા અવસાન પામ્યા હોય તેમજ જે બાળકના એક વાલી મૃત્યુ પામ્યા હોય તેવા નિરાધાર બનેલા બાળકોને આ યોજનાનો લાભ અપાશે .