CICSE બોર્ડ સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં પરીક્ષાઓનું આયોજન કરે છે. આ વર્ષે કોરોનાને કારણે વિલંબ થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) પણ આ સમયગાળા દરમિયાન દર વર્ષે સમય પરીક્ષાઓનું આયોજન કરે છે. તેણે ચાલુ વર્ષે મે-જૂન સુધીની પરીક્ષાઓ પણ આગળ લંબાવી છે.
પ્રેક્ટીકલ ટાઈમટેબલ શાળામાંથી મળશે.CICSEબોર્ડની પરીક્ષાઓની તારીખ આવી ગઈ છે.
બોર્ડના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે 10 માં ધોરણની બોર્ડ પરીક્ષાઓ 5 મેથી અને આને 12મા ધોરણની પરીક્ષાઓ 8 એપ્રિલથી શરૂ લેવામાં આવશે. જુલાઇ સુધીમાં તેમના પરિણામોની અપેક્ષા છે.બોર્ડે કહ્યું કે 12 મી પરીક્ષા 8 એપ્રિલે કમ્પ્યુટર સાયન્સ (પ્રેક્ટિકલ) પ્લાનિંગ સેશનથી શરૂ થશે. તે 90 મિનિટનું પેપર હશે. બાકીના 9 એપ્રિલથી શરૂ થતાં બાકીના પેપર 3 કલાક માટે રહેશે.
Agitation / ખેડૂતો બાદ GST અને ઇ-કોમર્સ સહિતનાના મુદ્દાઓને લઈને 5 માર્ચ થી 8 કરોડ વેપારીઓનું મહા આંદોલન
વિદ્યાર્થીઓને તેમની શાળામાંથી ધોરણ 12નાં પ્રાયોગિક વિષયનું ટાઇમ ટેબલ મળશે. જેમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, બાયોટેકનોલોજી, ભારતીય સંગીત, ફેશન ડિઝાઇનિંગ, શારીરિક શિક્ષણ, કમ્પ્યુટર સાયન્સ અને હોમ સાયન્સનો સમાવેશ થાય છે. અરથૂને કહ્યું કે, જવાબવહી તપાસવા માટે ઓનલાઇન અરજીઓ જમા કરવામાં આવશે.
France / ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝીને આ મામલે થઇ 3 વર્ષની જેલ
થોડા દિવસો પહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ પણ 10 મા -12 માં ની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. 10 મીથી 12 ની પ્રાયોગિક પરીક્ષાઓ 1 માર્ચથી 11 જૂન 2021 ની વચ્ચે રહેશે. CBSEએ તમામ શાળાઓને 11 જૂન સુધીમાં તમામ પ્રોજેક્ટ એસેસમેન્ટ અને ઇન્ટર્નલ એસેસમેન્ટ પૂર્ણ કરવા સૂચના પણ આપી છે. CBSE બોર્ડની પરીક્ષાઓ 4 મેથી 10 જૂન દરમિયાન લેવામાં આવશે. પરિણામ 15 જુલાઇ સુધીમાં જાહેર કરવામાં આવશે.
Vaccination / રાજકોટમાં સંતો-મહંતો અને મહાનુભાવોએ મુકાવી રસી, મુખ્યમંત્રી રૂપાણીનો માન્યો આભાર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…