અયોધ્યામાં રામ મંદિરનાં ભૂમિપૂજનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા પહેલા હનુમાનગઢી મંદિરમાં પૂજા-અર્ચના કરી, ત્યારબાદ તેમણે રામલાલાનાં દર્શન કરી ભૂમિપૂજન કાર્યક્રમમાં ભાગ લીધો.
આ દરમિયાન ભૂમિપૂજનમાં ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઇએ કે, અયોધ્યાને આજે ફરી શણગારવામાં આવી છે, દિવાળી જેવું વાતાવરણ છે અને સુરક્ષાની કડક બંદોબસ્ત છે. ઉપસ્થિત સંતે કહ્યું કે દેશ અને વિશ્વનાં વિવિધ ભાગોથી શિલાઓ લાવવામાં આવી છે, જેના પર શ્રી રામનું નામ લખાયેલું છે. આ સાથે હવે ભૂમિપૂજનનું કામ શરૂ થઈ ગયું છે, પીએમ મોદીનાં નામે શિલા મૂકવામાં આવી રહી છે.
#WATCH live: PM Narendra Modi in Ayodhya for #RamTemple foundation stone laying ceremony. https://t.co/yo5LpodbSz
— ANI (@ANI) August 5, 2020