પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે બ્રિટન પહોંચેલા વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતમાં સામાજિક-આર્થિક ક્રાંતિ માટે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વને શ્રેય આપ્યો હતો. તેમણે ભારત-યુકેના વિકાસશીલ સંબંધો અને દેશની દિશા નક્કી કરવામાં પીએમ મોદી દ્વારા ભજવવામાં આવેલી મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વિશ્વએ યુકે અને વિકાસશીલ ભારત વચ્ચેના સંબંધોને સ્વીકાર્યા છે.
સોમવારે સાંજે લંડનમાં ભારતીય હાઈ કમિશન દ્વારા આયોજિત દિવાળીના વિશેષ સમારોહને સંબોધતા વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, મેં સંબોધનની શરૂઆત એમ કહીને કરી કે દુનિયા બદલાઈ ગઈ છે, આપણા સંબંધો બદલાઈ ગયા છે, બ્રિટન બદલાઈ ગયું છે અને ભારત બદલાઈ ગયું છે. તો તમે મને પૂછી શકો છો કે ભારતમાં શું બદલાયું છે. તમે જવાબ જાણો છો. જવાબ છે પીએમ મોદી.
તેમના સંબોધન દરમિયાન તેમણે બેટી પઢાવો-બેટી બચાવો, જન ધન યોજના, આવાસ યોજના, ડિજિટલ ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્કીલ ઈન્ડિયા અભિયાન સહિત ભારત સરકારની ઘણી પરિવર્તનકારી નીતિઓ વિશે વિગતવાર વાત કરી. તેમણે કહ્યું કે આ દરેક યોજનાએ પરિણામો આપ્યા છે.
લંડનમાં દિવાળી રિસેપ્શનમાં વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું કે, ‘આ માત્ર એક દેશ નથી જે સમકાલીન પડકારોનો જવાબ આપી રહ્યો છે. આ એક એવો દેશ પણ છે જે મોટા સપના જોઈ રહ્યો છે, જે મોટું વિચારી રહ્યો છે, જે મોટો અમલ કરી રહ્યો છે. આનું ચંદ્રયાન મિશનથી વધુ સારું ઉદાહરણ બીજું કોઈ નથી. મારી માટે. જ્યારે તે બન્યું ત્યારે હું વડાપ્રધાન સાથે દક્ષિણ આફ્રિકામાં હતો અને અમે એક મોટી આંતરરાષ્ટ્રીય પરિષદની મધ્યમાં હતા. આજે ભારતની છબી જૂની છબી નથી.
આ પણ વાંચો: ઈઝરાયલના રક્ષા મંત્રીનો દાવો,’હમાસનું હવે ગાઝા પર નિયંત્રણ નથી’
આ પણ વાંચો: PM મોદી ખેડૂતોને નવા વર્ષની આપશે ભેટ, પરંતુ આ ખેડૂતોને લાભ નહીં મળે!
આ પણ વાંચો: આ ખાસ મંત્રોથી કરો બજરંગબલીની આરતી, તમારા બધા સંકટ થશે દૂર