ઈઝરાયલ અને પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસ વચ્ચેનું યુદ્ધ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. આ દરમિયાન ઈઝરાયલના રક્ષા મંત્રીએ સોમવારે દાવો કર્યો હતો કે હમાસે ગાઝામાં નિયંત્રણ ગુમાવી દીધું છે. આ દાવો પેલેસ્ટિનિયન જૂથે ઈઝરાયલ પર અચાનક હુમલો કર્યો અને 500થી વધુ રોકેટ છોડ્યાના એક મહિના બાદ આવ્યો છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહીમાં ભારે બોમ્બમારો કર્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, ઈઝરાયલના રક્ષા મંત્રીએ કોઈ પુરાવા આપ્યા વિના કહ્યું કે ‘હમાસ ગાઝા પર નિયંત્રણ ગુમાવી ચૂક્યું છે. આતંકવાદીઓ દક્ષિણ તરફ ભાગી રહ્યા છે. નાગરિકો હમાસના અડ્ડાઓને લૂંટી રહ્યા છે.’ ઈઝરાયલના મુખ્ય ટીવી સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવેલા વીડિયોમાં ગેલન્ટે કહ્યું, ‘નાગરિકોને હવે સરકાર પર વિશ્વાસ નથી.’
તાજેતરના ઈઝરાયેલના ડેટા અનુસાર, 7 ઓક્ટોબરે હમાસના આતંકીઓએ ઈઝરાયેલની સરહદ પાર કર્યા પછી અત્યાર સુધીનું સૌથી લોહિયાળ ગાઝા યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા હતા. તેમાંથી મોટાભાગના નાગરિકો હતા અને લગભગ 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
હમાસ શાસિત ગાઝા પટ્ટીના ઉપ સ્વાસ્થ્ય મંત્રી યુસુફ અબુ રિશે જણાવ્યું હતું કે ઉર્જાની અછતને કારણે પ્રદેશના ઉત્તરમાં તમામ હોસ્પિટલો ઠપ પડી છે. અબુ રિશે કહ્યું કે, ગાઝાની સૌથી મોટી હોસ્પિટલ, અલ-શિફા હોસ્પિટલમાં, સાત અકાળ બાળકો સમય પહેલા જન્મ્યા છે અને તાજેતરના દિવસોમાં 27 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
આ પણ વાંચો: PM મોદી ખેડૂતોને નવા વર્ષની આપશે ભેટ, પરંતુ આ ખેડૂતોને લાભ નહીં મળે!
આ પણ વાંચો: આ ખાસ મંત્રોથી કરો બજરંગબલીની આરતી, તમારા બધા સંકટ થશે દૂર
આ પણ વાંચો: જાણો નવા વર્ષની શરૂઆત કઈ રાશિના જાતકો માટે લઈને આવી છે ખુશીની પળ