ઉત્તર પ્રદેશના કાનપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 22 લોકોના મોત થયા છે, મૃતકોમાં 11 મહિલાઓ અને 11 બાળકો છે. આ તમામ ઉન્નાવથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. આ ઘટનામાં 28 લોકો ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારે સહાયની કરી જાહેરાત, મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે.
ઉન્નાવના ચંદ્રિકા દેવી મંદિરથી દર્શન કરીને કોરથા ગામ પરત ફરી રહ્યા હતા. બીજી તરફ, રાજ્ય સરકારે મૃતકોના નજીકના પરિવાર માટે 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. સીએમ યોગી આદિત્યનાથ અને પીએમ નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ યોગી અને પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું સીએમ યોગી આદિત્યનાથે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તેમણે વહીવટી અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા છે.
સીએમ યોગીએ ટ્વીટ કર્યું કે, કાનપુર જિલ્લામાં માર્ગ અકસ્માત ખૂબ જ હૃદયદ્રાવક છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવા અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના. આ અકસ્માતમાં જાનહાનિ ખૂબ જ દુઃખદ છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારના સભ્યો સાથે છે. ભગવાન શ્રી રામ દિવંગત આત્માઓને તેમના ચરણોમાં સ્થાન આપે અને મૃતકોના પરિવારજનોને આ અપૂર્ણ ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. પીએમ રિલીફ ફંડમાંથી પણ મદદ આપવામાં આવશે પીએમ નરેન્દ્ર મોદીએ પીએમઓ દ્વારા જારી ટ્વીટમાં આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. પીએમઓએ ટ્વીટ કર્યું, ‘કાનપુરમાં ટ્રેક્ટર-ટ્રોલી અકસ્માતથી દુઃખી છું. હું એવા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક પ્રશાસન તમામ શક્ય મદદ કરી રહ્યું છે. પ્રધાનમંત્રી રાહત કોષમાંથી મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા, ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.