આંધ્રપ્રદેશનાં ચિતૂરમાં તેલુગુ અભિનેતા પવન કલ્યાણના જન્મદિવસ પર પોસ્ટરો લગાવ્યા. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ લોકો તેમના જન્મદિવસ પહેલા તેમના અભિનેતા પવન કલ્યાણ માટે 40 ફૂટ ઉંચા પોસ્ટર લગાવી રહ્યા હતા. આ સમય દરમિયાન, તેને ઉપરથી પસાર થતા હાઇ-વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરની ચપેટમાં આવ્યા હતા. આ ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટના શાંતિપુરમ મંડળના કર્લાગટ્ટુની છે.
કપૂમ સર્કલ ઇન્સ્પેક્ટર યતિન્દ્રના જણાવ્યા મુજબ તેલુગુ અભિનેતા પવન કલ્યાણના ચાહકો તેમના જન્મદિવસ પર શાંતિપુરમ મંડળ વિસ્તારમાં 40 ફૂટ ઉંચા પોસ્ટરો લગાવી રહ્યા હતા. અભિનેતા પવન કલ્યાણના જન્મદિવસ પહેલા 2 સપ્ટેમ્બરના રોજ આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટર લગાવવા માટે 7 જેટલા લોકો મદદ કરી રહ્યા હતા, ત્યારબાદ આ પોસ્ટર 6.5KV ઇલેક્ટ્રિક વાયર ઉપરથી પસાર થતાં અટવાઈ ગયું હતું અને ઇલેક્ટ્રિક કરંટ લાગવાના કારણે ત્યાં 3 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
જ્યારે બજીબાજુ 4 લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને કપૂમની પીઈએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે પવન કલ્યાણની ફેન ફોલોઇંગ ખૂબ વધારે છે. તેનો જન્મદિવસ દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. નોંધપાત્ર વાત એ છે કે અભિનેતા પવન કલ્યાણ એક્ટરની સાથે જ જનસેના પાર્ટીના વડા પણ છે. આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતાં તેમણે મૃતકના પરિવારજનોને મદદની ખાતરી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.