કોરોના વાયરસનાં કેસ દરરોજ પોતાનો રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, લગભગ દર મિનિટે કોરોનાનાં 58 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે એક પ્રકાશન મુજબ, ગઈકાલે 83,883 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.
જો આપણે સરકારી આંકડા જોઈએ તો લાગે છે કે દેશમાં કોરોના ચરમસીમાએ પહોંચી ગયો છે. આપને જણાવી દઈએ કે, 7 સપ્ટેમ્બરથી રાષ્ટ્રીય રાજધાનીમાં મેટ્રો સેવા શરૂ થવા જઈ રહી છે. અગાઉ કોરોનાનાં આંકડા ડરાવનાર છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં આ વૈશ્વિક રોગચાળાને કારણે 1043 દર્દીઓનાં મોત થયાં છે. આ સાથે, દેશમાં કોરોનાથી અત્યાર સુધી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 67,376 પર પહોંચી ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.