કેટલીક એરલાઇન્સ કંપનીઓએ સપ્ટેમ્બરથી ફ્લાઇટ્સનું સંચાલન કરવાની વાત કહી છે. જોકે, કેટલીક ફ્લાઇટ્સ પહેલા જ ઓપરેટ થઈ ચૂકી છે. તેથી જો આ કોરોના કાળમાં જો તમે પણ એરટ્રાવેલ કરવા જઈ રહ્યા છો તો મુસાફરી દરમિયાન આપને અનેક બાબતો અગાઉ કરતાં ઘણી બદલાયેલી લાગશે. સંક્રમણથી બચવા માટે પ્લેનમાં સિટીંગ અરેજમેન્ટથી લઈને મુસાફરોને મળનારી અનેક સુવિધાઓમાં પણ મોટા પરિવર્તન કરવામાં આવ્યા છે.
માસ્ક અને સ્વચ્છતાનું ધ્યાન રાખોઃ હવાઈ મુસાફરી દરમિયાન માસ્ક પહેરેલું જ રાખો. અન્ય લોકોથી યોગ્ય અંતર રાખો અને હાથની ચોખ્ખાઈનું પૂરતું ધ્યાન રાખો.
વિન્ડો સીટની પસંદગી: હવાઈ મુસાફરી દરમિયાન સૌથી વધુ વિન્ડો સીટ સુરક્ષિત છે કારણ કે વિન્ડો સીટવાળા મુસાફરો અન્યની તુલનામાં વારંવાર ઊભા નથી થતા. WHO અનુસાર, હવાઈ મુસાફરી દરમિયાન વ્યક્તિની સીટની આગળ, પાછળ અને બાજુની સીટવાળા લોકો પ્રભાવિત થઈ શકે છે. પૂરું પ્લેન નહીં. હવાઈ મુસાફરીના નિયમ એ પ્રકારે બનાવવામાં આવ્યા છે જેથી લોકો એક-બીજાના સંપર્કમાં ન આવે અને કોરોનાનો ખતરો ન રહે.
સીટ બેલ્ટને સ્પર્શ કરવાનું ટાળોઃ હવાઈ મુસાફરી દરમિયાન પ્લેનની સીટ બેલ્ટની બાકીની ચીજોને સ્પર્શ કરવાથી બચો કારણ કે આ ચીજો કોઈ કોરોના સંક્રમિતની ડ્રોપલેટ્સના કારણે પહેલાથી જ ઇન્ફેક્ટેડ થઈ હોય તો કોરોનાનો ખતરો રહે છે.
પોતાની સીટ પર જ રહોઃ જો તમે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છો તો વારંવાર પોતાની સીટ છોડીને પ્લેનમાં ફરશો નહીં. આવું કરવું ખતરનાક હોઈ શકે છે.
એર ટ્રાવેલમાં પણ રાખો સોશિયલ ડિસ્ટન્સિંગઃ પ્લેનમાં મુસાફરીના નિયમ એવા પ્રકારે બનાવવામાં આવ્યા છે જેથી એક-બીજાના સંપર્કમાં ન આવી શકો અને કોરોનાનો ખતરો ન રહે.
તો હવેથી હવાઈ મુસાફરી દરમિયાન આટલું ધ્યાન અવશ્ય રાખજો…
આ પણ વાંચો- Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો- સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો- શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ
આ પણ વાંચો- આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો- બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…