ભારતમાં, કોરોનાવાયરસ સંક્રમણનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. દેશમાં COVID-19 કેસની કુલ સંખ્યા 52 લાખને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા તાજેતરનાં આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 96,424 નવા કેસ નોંધાયા છે.
આ સાથે, ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 52,14,677 થઈ ગઈ છે. વળી છેલ્લા 24 કલાકમાં વાયરસનાં કારણે 1174 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. COVID-19 થી દેશમાં અત્યાર સુધીમાં 84,372 લોકોએ જીવ ગુમાવ્યો છે.
India’s #COVID19 case tally crosses 52-lakh mark with a spike of 96,424 new cases & 1,174 deaths in last 24 hours.
The total case tally stands at 52,14,678 including 10,17,754 active cases, 41,12,552 cured/discharged/migrated & 84,372 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/y16APBIA7h
— ANI (@ANI) September 18, 2020
અહી રાહતની વાત એ છે કે, દેશમાં અત્યાર સુધીમાં 41 લાખથી વધુ દર્દીઓ કોરોના રોગચાળાને માત આપી શક્યા છે. છેલ્લા 24 કલાકમાં 87,472 દર્દીઓ ઠીક થયા છે. આ એક દિવસમાં મોટા પ્રમાણમાં દર્દીઓમાં રિકવરી જોવા મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.