આજકાલની તણાવયુક્ત જીવનશૈલીમાં જો તમે પ્રમાણસર અને યોગ્ય માત્રમાં આહાર લેતા હોવ તો તમે ઘણાબધા રોગોથી દૂર રહી શકો છો. કબજિયાત એ કોઈ રોગ નથી પણ એક કન્ડિશન કહી શકાય જે તમારા પાચનશક્તિની નબળાઈ દર્શાવે છે. તમારા શરીરને જરૂરી એવા બધા જ તત્વો જો તમને આહારમાંથી મળી રહે તો પાચનશક્તિ અને તમારું સ્વાસ્થ્ય ખુબ જ સારૂ રહે છે. કબજિયાત એ ખુબ જ કોમન પ્રોબ્લેમ છે જે ઘણા બધા લોકોમાં જોવા મળે છે. એને કારણે શરીરમાં બીજા ઘણા બધા પ્રોબ્લેમ થયી શકે છે. તેથી જો તમે તમારી કબજિયાતને દૂર કરી શકો તો બીજા ઘણા રોગોથી બચી શકો છો.
કબજિયાતને દૂર કરવા માટે તમે નીચે આપેલા યોગનો અભ્યાસ કરી શકો છો, જે તમારે તમારી ક્ષમતા મુજબ કરવો.
1. પવનમુક્તાસન 2 : સૌપ્રથમ પીઠના બળે સુઈ જવું. ત્યારબાદ ધીરેથી બંને પગને ઘુંટણમાંથી વળી છાતી સુધી લાવવાનો પ્રયત્ન કરો. બંને હાથથી બંને પગને જમીન તરફ દબાવો, હવે ધીરેથી માથું, નાક કે કપાળ ઘૂંટણને અડાડવા માટે પ્રયત્ન કરો. અહીં પાંચથી સાત શ્વાસ સુધી રોકાઓ. હવે પહેલા માથું ધીરેથી નીચે મૂકવું. ત્યાર બાદ હાથને નીચે મૂકી પગને સીધા કરી રિલેક્સ થવું. આ જ પ્રમાણે ત્રણ-પાંચ વખત કરી શકાય.
2.તાડાસન: તાડાસન એ એક્દમ સરળ આસાન છે. તમારે બંને પગના પંજાને સાથે રાખી ઉભું રેહવું. બંને હાથને સાઈડમાંથી ઉપર કરી કાં પાસે લઇ જવા. હવે અહીં હાથની આંગળીઓને એકબીજામાં ફસાવી હાથને પલટાવી દો. શ્વાસ ભરતાં બંને હાથને ઉપરની તરફ ખેંચવા અને બંને પગની એડીને જમીનથી ઉપર ઉઠાવવી. આંખો ખુલ્લી રાખી સામે કોઈ એક બિંદુ પાર ધ્યાન કરવું। ત્રણ થી પાંચ શ્વાસ સુધી રોકાઈ બંને એડીને નીચે લાવવી અને હાથેને નીચે લેવા.આ આસન પાંચેક વખત કરી શકાય.
3. તિર્યક તાડાસન : તાડાસનમાં જે રીતે હાથ ઉપર ઉઠાવ્યા એ રીતે ઉઠાવી, કમરમાંથી ડાબે નમવું. થોડીવાર ત્યાં રોકાઈ પાછા વચ્ચે આવવું અને ત્યાંથી જમણે નમવું. થોડીવાર રોકાઈ પાછા વચ્ચે આવી હાથને રિલેક્સ કરવા. આ રીતે આ આસન પણ પાંચેક વખત કરી શકાય.
4. ત્રિકોણાસન : આ આસન કરવા માટે પહેલા તમારા બંને પગના પંજા સાથે રાખી ઉભા રહો. હવે બંને પણ વચ્ચે 2 થી 2.5 ફીટ જેટલું અંતર રહે તેટલા ખોલો. બંને હાથને સાઈડમાંથી ઉઠાવી ખભાની લાઈનમાં રહે એ રીતે લાવો. હવે શ્વાસ ભરી શ્વાસ કાઢતા કાઢતા સાબી તરફ જુકો તમારા ડાબા હાથને ડાબા પગ પર સરકાવતા નીચે લઇ જવો. જ્યાં સુધી જુકાઇ ત્યાં સુધી ઝુકવુ અને ત્યાં ત્રણથી પાંચ શ્વાસ સુધી રોકાવું. ત્યારબાદ ધીરેથી ઉપર ઉઠવું શરીરને મધ્યમાં લાવી જમણી તરફ ઝુકવુ. ત્રણથી પાંચ શ્વાસ સુધી રોકાઈ મધ્યમાં આવવું. હાથને નીચે લાવી રિલેક્સ થવું.
5. કટી ચક્રાસન : બંને પગના પંજા સાથે રાખી ઉભા રેહવું, બંને હાથને આગળ તરફ ખભાને સમાંતર રાખવા, બંને હથેળી એકબીજાની સામ-સામે રહે એ રીતે. હવે શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબી તરફ કમરમાંથી ટવિસ્ટ થવું। જ્યાં સુધી જય શકાય ત્યાં સુધી જાઓ અને ત્યાં ત્રણથી પાંચ શ્વાસ સુધી રોકાઓ. હવે વચ્ચે આવી એજ રીતે જમણી બાજુ ટવિસ્ટ થવું. આ આસન પણ ત્રણથી પાંચ વખત કરી શકો.
6. શશાંકાસન : ઘૂંટણની તકલીફ હોય તો તેઓએ જમીન પગ ઘુંટણમાંથી વાળી બેસવું નહી. બાકીના લોકોએ વજ્રાસનમાં બેસવું. બંને હાથને સાઇડથી ઉપર ઉઠાવો. શ્વાસ ભરી શ્વાસ છોડતા લોઅર બેકથી આગળ તરફ ઝૂકવું. ત્યાં પાંચથી સાત શ્વાસ સુધી રોકાઈને કમરમાંથી સીધા થવું. આજ પ્રકારે પાંચેક વખત કરી શકો છો.
કોઈ પણ પ્રકારના યોગાભ્યાસ જમવાના અડધો કલાક પહેલાં અથવા જમવાના એક કલાક પછી કરવા.
આ પણ વાંચો- પીરિયડ્સમાં સ્ત્રીઓ પૂજા-પ્રાર્થના ના કરી શકે, આ વાત હકીકત કે અફવા?
આ પણ વાંચો- વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો- Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો- સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો- શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ
આ પણ વાંચો- આ 6 ચીજો ખાઈને ક્યારેય નહીં પડો બીમાર, જાણો સુખી રહેવા માટેનું રહસ્ય
આ પણ વાંચો- બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- મળ પર પણ લાંબા સમય સુધી ટકી શકે છે કોરોનાનો વાયરસ, આ રીતે પડી શકો બીમાર
આ પણ વાંચો- આ કારણે ગણેશજીનું પેટ જાડું થઈ ગયુ, જાણો ગણપતિના જાડા પેટનુ રહસ્ય
આ પણ વાંચો- ‘ઓછી થતી રોગ પ્રતિકારક શક્તિ વિવિધ રોગોનું ઉદ્ભવ સ્થાન બને છે’- ઍક્સપર્ટ
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…