લોકસભામાં સિટીઝન એમેન્ડમેન્ટ બિલ પસાર થયા બાદ સમાજવાદી પાર્ટીનાં કદ્દાવર અને રામપુરનાં સાંસદ આઝમ ખાને વિરોધ દર્શાવ્યો છે. તેમણે નાગરિકતા સુધારણા બિલ રજૂ કરવા પર હાલની સરકારને આડે હાથે લેતા કહ્યુ કે, સરકાર સત્તાની તાકતનો દુરૂપયોગ કરી રહી છે. આ બિલ પછી એનઆરસી લાવવાની તૈયારીનાં પ્રશ્ને દેશમાં બેરોજગારીનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે લોકોની પાસે વ્યવસાય નથી. કોઈ કામ નથી તેથી આ બધુ થઈ રહ્યું છે.
આઝમ ખાને કહ્યું કે, આ નિર્ણય તાકાતનાં આધારે કરવામાં આવ્યો છે, તે એક મોટી શક્તિ છે. વિપક્ષની સંખ્યા ઓછી છે. વિપક્ષ કેટલી પણ સાચી વાત કરી લે પણ તેનુ સાંભળવામાં આવશે નહી. પરંતુ સારા લોકશાહીનું ઉદાહરણ એ છે કે શાસક પક્ષે માત્ર વિપક્ષની સાચી વાતને જ ન સાંભળવી જોઇએ પરંતુ તેને માનવી પણ જોઇએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે દેશનું આજે વિભાજન થઇ ગયુ છે? તો તેમણે કહ્યું કે, 1947 માં દેશનું વિભાજન થયું પરંતુ જે લોકો પાકિસ્તાન ન ગયા તેઓને પાકિસ્તાન જવાનો રસ્તો હતો. તે સમયે મુસ્લિમો સિવાય કોઈની પાસે પાકિસ્તાન જવાનો વિકલ્પ નહોતો. જે લોકો તે સમયે પાકિસ્તાન નહોતા ગયા તે સંભવતઃ મોટા દેશ ભક્ત હતા. હવે જો તે દેશભક્તિની આ સજા છે, તો તેના પર કોઈ ટિપ્પણી કરી શકાશે નહીં. કારણ કે લોકશાહીમાં મગજને નહી પરંતુ માથાને ગણવામાં આવે છે.
એનઆરસી અંગે આઝમ ખાને કહ્યું કે, તે વધારે મદદરૂપ નહીં થાય. તેમણે મજાકમાં કહ્યું કે એકવાર ચીને તેની વસ્તી વિશે આખા વિશ્વને સંદેશ આપ્યો કે લોકો વસ્તી ઘટાડવાનો પ્રયાસ કરે છે અને હું વસ્તી વધારવાનો પ્રયત્ન કરું છું, કારણ કે એક વ્યક્તિ જે પેટ સાથે જન્મે છે તે બે હાથ અને બે પગ સાથે પણ જન્મે છે. ત્યાં લોકોને કેવી રીતે કાર્યરત કરવા તે વિશેની માહિતી છે, તેથી જ ચીન વિશ્વની સૌથી મોટી શક્તિ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.