IPL 2021/ ટીમ ઈન્ડિયાનાં આ ખેલાડીનાં કેરિયર પર સંકટનાં વાદળ, IPL ની ટીમમાંથી પણ થઇ હકાલપટ્ટી

આ ખેલાડી પહેલાથી જ ખરાબ ફોર્મનાં કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે અને હવે તેણે IPL નાં પ્રદર્શનમાં SRH ને પણ નિરાશ કર્યો છે.

Sports
કેદાર જાદવ

હાલમાં IPL નો બીજો તબક્કો UAE માં રમાઈ રહ્યો છે. જે હવે લગભગ તેના અંત તરફ આગળ વધી રહ્યો છે. દુનિયાભરમાંથી આવા ઘણા ખેલાડીઓ છે જે લીગમાં પોતાનો દબદબો ફેલાવી રહ્યા છે. કેટલાક ખેલાડીઓ એવા પણ છે જે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવવા માટે પોતાનું પ્રદર્શન સુધારી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે એક દિગ્ગજ ખેલાડી પણ છે જે પહેલાથી જ ટીમ ઈન્ડિયાથી બહાર છે અને ખરાબ પ્રદર્શનને કારણે તેણે પોતાના માટે IPL નાં દરવાજા પણ બંધ કરી દીધા છે.

કેદાર જાદવ

આ પણ વાંચો – IPL 2021 / ઈશાન કિશને અબૂધાબીમાં મચાવ્યું તોફાન, બનાવ્યો આ રેકોર્ડ

અમે જેની વાત કરી રહ્યા છીએ તે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) નો ખેલાડી છે. આ ખેલાડી પહેલાથી જ ખરાબ ફોર્મનાં કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે અને હવે તેણે IPL નાં પ્રદર્શનમાં SRH ને પણ નિરાશ કર્યો છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ રમનાર કેદાર જાધવે IPL 2021 માં પણ ખરાબ પ્રદર્શન કર્યું હતું. કેદાર જાધવને તેના સતત ખરાબ પ્રદર્શન બાદ હવે તેની IPL ટીમ SRH દ્વારા પડતો મૂકવામાં આવ્યો છે. IPL નાં પહેલા તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ જાધવનું બેટ બિલકુલ શાંત રહ્યુ નથી, ત્યારબાદ તેને ટીમમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, કેદાર જાધવને એમએસ ધોનીની ટીમ CSK દ્વારા પણ ખરાબ પ્રદર્શન માટે પડતો મૂકવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે તેની કારકિર્દી ખતમ થવાનો ભય છે. કદાચ આગામી IPL માં કોઈ ફ્રેન્ચાઈઝી ટીમ તેના પર બોલી લગાવે નહીં તો નવાઇ નહી.

કેદાર જાદવ

આ પણ વાંચો – T20 World Cup 2021 / ટીમ ઇન્ડિયા જોવા મળશે નવી જર્સીમા, જાણો ક્યાં દિવસે લોન્ચ થશે નવી જર્સી

કેદાર જાધવની જેમ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમનું નસીબ પણ આ વર્ષે ખરાબ દેખાયુ છે. SRH એ IPL માં 14 મેચ રમી છે, જેમાંથી તે માત્ર ત્રણ જ જીતી શકી છે. હૈદરાબાદ પણ પ્લેઓફની રેસમાંથી બહાર છે. IPL નાં ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે હૈદરાબાદની ટીમ ટેબલમાં સૌથી નીચે છે.