પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે પીએમ મોદીને પત્ર લખ્યો છે. સોમવારે, તેમણે પશ્ચિમ બંગાળમાં મોટાભાગે મતુઆ સમુદાયના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાની વાત કરી. તેમણે આ મામલે પીએમ મોદીને પત્ર લખ્યો છે. મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે લોકસભા ચૂંટણી પહેલા બંગાળના લોકોના આધાર કાર્ડને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. સીએમ મમતા બેનર્જીએ પત્ર લખીને આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાનું કારણ જાણવા માંગ્યું હતું. બેનર્જીએ કહ્યું કે આ પગલાથી બંગાળના લોકોમાં “આક્રોશ” પેદા થયો છે. તેમણે કહ્યું કે આધાર કાર્ડને “નિષ્ક્રિય” કરવાની આ કવાયત નિયમોની વિરુદ્ધ છે અને પ્રાકૃતિક ન્યાયનું ઘોર ઉલ્લંઘન છે.
પીએમ મોદીને લખ્યો પત્ર
સીએમ મમતા બેનર્જીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે “હું તમારા ધ્યાન પર લોકોના આધાર કાર્ડને અંધાધૂંધ રીતે નિષ્ક્રિય કરવાની ગંભીર ઘટના, ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી સમુદાયોના આકસ્મિક ઘટના તરફ લાવવા માગુ છું.” તૃણમૂલ કોંગ્રેસના વડાએ લખ્યું, “હું કોઈ કારણ આપ્યા વગર અચાનક આધાર કાર્ડને નિષ્ક્રિય કરવાનું કારણ જાણવા માગુ છું. આ શું લાભાર્થીઓને લાભથી વંચિત રાખવા માટે છે કે લોકસભાની ચૂંટણી પહેલા લોકોમાં ગભરાટની સ્થિતિ ઉભી કરવા માટે?
રાજ્યના લોકોમાં ગભરાટનો માહોલ
મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે નવી દિલ્હીમાં યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા હેડક્વાર્ટર કોઈપણ ક્ષેત્રની તપાસ વિના અથવા રાજ્યને વિશ્વાસમાં લીધા વિના સંબંધિત વ્યક્તિઓ અને પરિવારના સભ્યોને સીધા “નિષ્ક્રિયતા પત્રો” જારી કરે છે. તેમણે પત્રમાં લખ્યું છે કે “વર્તમાન વિકાસથી રાજ્યના રહેવાસીઓમાં ગભરાટ અને અશાંતિની સ્થિતિ સર્જાઈ છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો તેમની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરી રહ્યા છે.”
આ પણ વાંચોઃ ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચોઃ