મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટે બુધવારે મહા વિકાસ અઘાડી (MVA) નેતાઓ સહિત સહયોગીઓ સામે કેન્દ્રીય એજન્સીઓ દ્વારા લેવામાં આવતી કાર્યવાહીના મુદ્દા પર ચર્ચા કરવા માટે બેઠક કરી હતી.
તેમણે કહ્યું કે કેબિનેટે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)ના કર્મચારીઓની માંગણીઓ પર સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી સમિતિ દ્વારા સુપરત કરાયેલા અહેવાલની પણ ચર્ચા કરી હતી. આ કામદારો ચાર મહિનાથી વધુ સમયથી હડતાળ પર છે.
સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સમિતિએ તેના અહેવાલમાં MSRTCના રાજ્ય સરકાર સાથે વિલીનીકરણનો વિરોધ કર્યો છે. ઠાકરેએ શિવસેનાના નેતાઓને તેમના સત્તાવાર નિવાસસ્થાને રાત્રિભોજન માટે પણ આમંત્રણ આપ્યું હતું. ઠાકરે શિવસેનાના પ્રમુખ પણ છે, જે ત્રણ પક્ષોની ગઠબંધન મહા વિકાસ અઘાડી સરકારનું નેતૃત્વ કરી રહી છે.