અમદાવાદ,
અમદાવાદમાં કલેક્ટરે પરપ્રાંતિય લોકોની હિજરતને મામલે મિટીંગ બોલાવી હતી..કલેક્ટર વિક્રાંત પાંડે આ અંગે જણાવ્યું હતું કે કેટલાક મુઠ્ઠભર તત્વોને કારણે પરપ્રાંતિય લોકોમાં છે્લ્લા અઠવાડિયાથી ભયનો માહોલ જોવા મળ્યો હતો..જો કે કેટલા અસામાજીક તત્વોની ધરપકડ કરવામાં આવી છે.દેત્રોજ અને આસપાસના ગામોમાં જેની અસર જોવા મળી રહી છે ત્યાં પણ ગામના આગેવાનો અને સરપંચ સાથે મિટીંગ કરવામાં આવી છે.અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે.ઉત્તરભારતીયો તેમજ અન્ય રાજ્યોના લોકોનો ડેટા મંગાવવામાં આવશે.
શું કહ્યું કલેકટરે
6 દિવસથી ભયનો માહોલ જોવા મળ્યો હતો
રાય યુનિવર્સીટી અને અન્ય સ્થળે 3 srp બોલવાઈ
250 લોકો સાથે મિટિંગ કરી
ભય અને બીજુ કઈ હોય તેની ધરપકડ કરાઈ
રાત્રી કેમ્પ કરવાની વ્યવસ્થા કરાઈ
મુકાદમ સાથે પણ મિટિંગ કરાઈ
અત્યાર સુધી 3 ગુના નોંધાયા છે અને ધરપકડ પણ કરાઈ છે
સરપંચ અને ગામના આગેવાનો સાથે મિટિંગ કરી
સહયોગનો અપેક્ષા રાખી છે
મુકાદમ પાસેથી ઉત્તરભારતીયોની વિગત લેવાશે
દેત્રોજ અને આસપાસના વિસ્તારમાં વધુ અસર છે
પેટ્રોલિંગ વધારવાની માગ છે તે પણ કરવામાં આવશે
મકરબા પોલીસ હેડકવટર્સ ખાતે મિટિંગ કરી
અધિકારી. પ્રમુખો. સરપંચ. આગેવાન અને મુકાદમ હાજર રહ્યાં
તમામ પ્રકારની કામગીરીની સૂચના અપાઈ
ઉત્તરભારતીયોનો હાલ કોઈ ડેટા નથી પણ મુકાદમ પાસેથી વિગતો મેડવાશે