જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતી પરિણીતાએ પોતાના પતિના માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કરવા માટે મજબુર થઇ હોવાની એક ફરિયાદ નોંધાઈ છે.
જીરાગઢ ગામમાં તેણીના પતિ અવાર-નવાર નશો કરી મારકૂટ કરતા હતાં તેમજ સાસુ-સસરા અને દીયર ઘરકામ બાબતે શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં. સાસરિયાઓ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : સુરતમાંથી સામે અનોખો કિસ્સો, માતાએ બહાર રમવાની ના પાડી તો બાળકે કર્યું એવું કે..
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા જયશ્રીબેન અઘારિયા નામની મહિલાને તેણીના પતિ મીઠાભાઈ દ્વારા દારૂ પી ને નશો કરી અવાર-નવાર મારકુટ કરતો હતો.
આ પણ વાંચો : વરતેજ પેટ્રોલ પંપ નજીક ગમખ્વાર અકસ્માત, એકનું મોત
તેમજ દ્વારા અપાતા ત્રાસથી કંટાળીને જયશ્રીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ મૃતકના પિતા દ્વારા પતિ સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.