Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસનો ઢંઢેરો આવ્યો ત્યારે મેં દેશને ખાસ કરીને દેશના વિચારક વર્ગને ચેતવણી આપી હતી કે કોંગ્રેસનો ઢંઢેરો દેશ માટે ખતરાની ઘંટડી છે. મે સ્પ,ઠ કહ્યું હતું તકે મને કોંગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ દેખાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ગુજરાતના જામનગરમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે કુપ્રચારથી શરૂ થયેલી કોંગ્રેસની રાજનીતિ આજે હતાશાથી ઘેરાઈ ગઈ છે . અગાઉ ગુજરાતને લઈને જે નિરાશા હતી તે જ નિરાશા અને નફરત દેશની પ્રગતિને લઈને કોંગ્રેસની દરેક નસમાં ભરેલી છે.
વધુમાં મોદીએ કહ્યું કે ગુજરાતે ભૂતકાળમાં જેટલું યોગદાન આપ્યું છે તેટલું વર્તમાનમાં પણ દેશને આપ્યું છે. જામનગરના મહારાજા દિગ્વિજય સિહં બીજા વિશ્વયુધ્ધ દરમિયાન પોલેન્ડના નાગરિકોને અહીં આશ્રય આપ્યો હતો.. આજે પણ જ્યારે સંસદ શરૂ થાય છે ત્યારે સૌ પ્રથમ જામનગર અને મહારાજા દિગ્વિજયસિંહજીને યાદ કરાય છે અને પછી સંસદ શરૂ થાય છે.
તેમણે કહ્યું કે માહારાજા દ્વારા વાવેલા બીજને કારણે આજે પણ પોલેન્ડ સાથે અમારો સંબંધ મજબૂત છે. જામસાહેબના પરિવાર સાથે મારો સંબંધ છે અને તેમના આશીર્વાદ મળ્યા છે. આજે અહીં આવીને હું તેમના આશીર્વાદ લેવા ગયો હતો અને જ્યારે જામ સાહેબ વિજય ભવ કહે છે ત્યારે વિજય નિશ્ચિત છે. અખંડ ભારત બનાવવા માટે આપણા દેશના રાજાઓ અને સમ્રાટોએ પેઠીઓ સુધી પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દેશ તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહી.
વધુમાં વડાપ્રદે કહ્યું કે આજે વિશ્વમાં ભારતનું કદ અને સન્માન વધી રહ્યું છે. તેથી કોંગ્રેસના રાજકુમારો અને તેમની સમગ્ર જીવસૃષ્ટિ વિદેશોમાં જઈને ભારતને બદનામ કરવા લાંબા ભાષણો આપે છે. જ્યારે કોંગ્રેસે સત્તા છોડી ત્યારે આપણા દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં 11 માં નંબર પર હતી. જ્યારે દેશને આઝાદી મળી ત્યારે દેશની અર્થવ્યવસ્થા છ્ઠ્ઠા નંબર પર હતી, ત્યાંથી કોંગ્રેસે તેને 11 માં નંબર પર લઈ ગઈ. એક ચા વેચનારો આવ્યો, તેની નસોમાં ગુજરાતી લોહી છે. જે અર્થતંત્ર વિશ્વમાં 11 મા ક્રમે હતું તે હવે 5 મા નંબર પર પહોંચી ગયું છે.
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે કોંગ્રેસનો ઢંઢેરો આવ્યો ત્યારે મેં દેશના વિચારશીલ વર્ગને ચેતવમી આપી હતી કે કોંગ્રેસનો ઢંઢેરો દેશ માટે ખતરાની ઘંટડી છે. મેં સ્પષ્ટ કહ્યું હતું કે મને કોંગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ દેખાય છે. આજે કોંગ્રેસનો ઢંઢેરો એ જ બાબતો પર દેશવાસીઓ પાસેથી મત માંગી રહ્યો છે જે દેશની આઝાદી પહેલા ભારતના ભાગલા માટે બનાવવામાં આવ્યો હતો. ભારતીય ગઠબંધનની રેલીઓમાં તેમના નેતાઓ મુસ્લિમ મતદારોને વોટ જેહાદ કરવાની અપીલ કરી રહ્યા છે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસ હાલમાં બે રણનિતી પર ચૂંટણી લડી રહી છે. એક સમાજને જાતિના નામે વિભાજીત કરવાનો અને બીજો તૃષ્ટિકરણ દ્વારા પોતાની વોટબેંકને જોડવાનો. કોંગ્રેસ પાર્ટી ધર્મના આધારે અનામત આપવા અને એસસી એસટી અને ઓબીસીનું અનામત છીનવીને મુસ્લિમોને અનામત આપવા માટે બંધારણમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.
આ પણ વાંચો:મમતા બેનર્જીની અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું, ‘CBI અમારા નિયંત્રણમાં નથી’
આ પણ વાંચો:કોવિશિલ્ડ લગાવ્યા બાદ પુત્રીનું થયું મૃત્યુ, સીરમ સામે કોર્ટ પહોંચ્યા માતા-પિતા
આ પણ વાંચો:કૈસરગંજથી બ્રિજભૂષણની ટિકિટ રદ થઈ શકે છે, પુત્ર કરણ બની શકે છે ભાજપના ઉમેદવાર