દિલ્હીની ચૂંટણીમાં લોક મિજાજનો અજબનો પરચો જોવામાં આવ્યો અને આમ આદમી પાર્ટી ફરી એક વખત સત્તા પર આવી, જો કે ભાજપે પણ દિલ્હીમાં 2015ની તુલનામાં સારો દેખવ કર્યો કહેવાય, પરંતુ કોંગ્રેસની હાલત 2015માં હતી તેના કરતા પણ બત્તર જોવામાં આવી કોંગ્રેસનાં 63 ઉમેદવારો તો પોતાની જમાનત પણ બચાવી શક્યા નથી.
દિલ્હીમાં કોંગ્રેસને ઘણી આશા હતી પણ તે ઠગારી નિવડી છે. તમામ હકીકતોને ધ્યાનમાં રાખી દિલ્હી કોંગ્રેસનાં પ્રમુખ પી.સી.ચાકોએ હારની નૈતિક જવાબદારી સ્વાકારતા નું રાજીનામું આપી દીધું હતું. ચાકોનાં રાજીનામાનો કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીએ સ્વાકાર કર્યો છે અને ગુજરાતનાં નેતા શક્તિસિંહ ગોહિલને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
જી હા ગુજરાત કોંગ્રેસનાંં દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને દિલ્હી કોંગ્રેસના પ્રભારી બનાવાયા છે. કોંગ્રેસનાં કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી દ્વારા શક્તિસિંહ ગોહિલને બિહારની સાથે સાથે દિલ્હીની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, હાલ શક્તિસિંહ ગોહિલ પાસે બિહાર કોંગ્રેસના પ્રભારી તરીકેનો ચાર્જ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.