ગાંધીનગર,
કોંગ્રેસ દ્વારા અલગ-અલગ મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ધરણામાં કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ જોડાયા હતા. સાથે રસ્તા રોકો જેવા કાર્યક્રમો પણ યોજાયો હતો.
આ ધરણામાં ખેડુતોના વિવિધ પ્રશ્ને તેમાંય ખાસ કરીને ખેડૂત દેવા માફી અને લોકશાહી બચાવો ” ની માંગ સાથે ધરણાં અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા યોજેલ ધરણા માં કલોલ, દહેગામ, માણસા અને ગાંધીનગર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજેે 2000 કાર્યકરો ની હાજરી માં રેલી અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો…જેમાં પ્રદેશ પ્રમુખશ્રી અમિત ચાવડા,પ્રદેશ પ્રભારીશ્રી રાજીવ સાતવ,વિપક્ષ નેતાશ્રી પરેશ ધાનાણી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિ રહ્યા હતા…