Controversy/ ભગવાન મહાદેવને લઇને વધુ એક સ્વામીનારાયણ સંતે વિવાદિત ટિપ્પણી કરતા સનાતન ધર્મીમાં ભારે રોષ,જુઓ વીડિયો

ગુજરાતમાં ફરી વધુ એક સ્વામીનારાયણ સંતનો ભગવાન મહાદેવને લઇને વિવાદિત વીડિયો વાયરલ થતા સમગ્ર સનાતન ધર્મના લોકો ફરી રોષે ભરાયા છે

Top Stories Gujarat
6 14 ભગવાન મહાદેવને લઇને વધુ એક સ્વામીનારાયણ સંતે વિવાદિત ટિપ્પણી કરતા સનાતન ધર્મીમાં ભારે રોષ,જુઓ વીડિયો
  • વધુ એક સ્વામીનારાયણ સંતનો વિડીયો વાયરલ
  • મહાદેવજીને લઇ કરી વિવાદીત ટીપ્પણી
  • મહાદેવજીને કુસ્તીમાં હરાવ્યાના કર્યો દાવો
  • રૂગનાથચરણદાસજીનામના સંતનો વિડીયો વાયરલ
  • મહાદેવજી વિશે કરી અનેક વિવાદીત ટીપ્પણી
  • આ વિડીયોની પુષ્ટ્રી મંતવ્ય ન્યૂઝ કરતું નથી

ગુજરાતમાં ફરી વધુ એક સ્વામીનારાયણ સંતનો ભગવાન મહાદેવને લઇને વિવાદિત વીડિયો વાયરલ થતા સમગ્ર સનાતન ધર્મના લોકો ફરી રોષે ભરાયા છે. આ વખતે સ્વામીનારાયણના સ્વામી રૂગનાથચરણદાસજીએ મહાદેવ પર ટિપ્પણી કરી છે,જેમાં તેમણે મહાદેવજીને કુસ્તીમાં હારવવાનો કર્યો છે દાવો. આ વીડિયમાં અનેક વિવાદિત ટિપ્પણીઓ ભગવાન ભોલેનાથ પર કરી છે. આ વીડિયોથી સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓ દુભાઇ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા  આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં  વાયરલ થયો છે. જે બાદ વિવાદ સર્જાયો હતો  આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો હતો આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી પણ હતી. સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો,પરતું અંતે સ્વામીએ માફી માંગી લેતા વિવાદ પુરો થઇ ગયો હતો પરતું ફરી એકવાર અન્ય સ્વામીએ  વિવાદિત ટિપ્પણી કરી છે.