- વધુ એક સ્વામીનારાયણ સંતનો વિડીયો વાયરલ
- મહાદેવજીને લઇ કરી વિવાદીત ટીપ્પણી
- મહાદેવજીને કુસ્તીમાં હરાવ્યાના કર્યો દાવો
- રૂગનાથચરણદાસજીનામના સંતનો વિડીયો વાયરલ
- મહાદેવજી વિશે કરી અનેક વિવાદીત ટીપ્પણી
- આ વિડીયોની પુષ્ટ્રી મંતવ્ય ન્યૂઝ કરતું નથી
ગુજરાતમાં ફરી વધુ એક સ્વામીનારાયણ સંતનો ભગવાન મહાદેવને લઇને વિવાદિત વીડિયો વાયરલ થતા સમગ્ર સનાતન ધર્મના લોકો ફરી રોષે ભરાયા છે. આ વખતે સ્વામીનારાયણના સ્વામી રૂગનાથચરણદાસજીએ મહાદેવ પર ટિપ્પણી કરી છે,જેમાં તેમણે મહાદેવજીને કુસ્તીમાં હારવવાનો કર્યો છે દાવો. આ વીડિયમાં અનેક વિવાદિત ટિપ્પણીઓ ભગવાન ભોલેનાથ પર કરી છે. આ વીડિયોથી સમગ્ર હિન્દુ સમાજની લાગણીઓ દુભાઇ છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા આનંદસાગર સ્વામીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બાદ વિવાદ સર્જાયો હતો આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરાતા ભારે વિવાદ સર્જાયો હતો આ વીડિયોમાં આનંદસાગર સ્વામી દ્વારા ભગવાન શિવ વિશે અયોગ્ય ટિપ્પણી કરતા વિવાદ સર્જાયો હતો. ત્યારે આનંદસાગર સ્વામીનો આ વીડિયો વાયરલ થતા બ્રહ્મસમાજ દ્વારા આ નિવેદન પર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો વિવિધ જિલ્લાઓમાં આનંદસાગર સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાવાની ચીમકી ઉચ્ચારી પણ હતી. સનાતન ધર્મને બદનામ કરવાની અને શાસ્ત્રમાં ઉલ્લેખ ન હોય તે પ્રકારની વાત હોવાનું બ્રહ્મસમાજ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો,પરતું અંતે સ્વામીએ માફી માંગી લેતા વિવાદ પુરો થઇ ગયો હતો પરતું ફરી એકવાર અન્ય સ્વામીએ વિવાદિત ટિપ્પણી કરી છે.