રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 695 નવા કોરોના કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,17,707 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11 લોકોનાં મૃત્યુ થયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 9,955 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 2122 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 7,93,028 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14,724 છે. અત્યાર સુધીમાં 1,86,55,846 લોકોનું કુલ રસીકરણ થઈ ગયું છે. તો આજે 2,58,797 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 108 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 79 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 30 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 99 કેસ, જ્યારે ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 32 કેસ અને ગ્રામ્યમાં 19 કેસ નોંધાયા છે.