કોરોના વાયરસના દૈનિક કેસમાં ઘટાડો અને વધારો ચાલુ છે. ભારતમાં એક જ દિવસમાં કોવિડ -19 ના નવા 11,666 કેસ નોંધાયા પછી દેશમાં ચેપના કેસ વધીને 1,07,01,193 થઈ ગયા છે. તે જ સમયે, વધુ 123 લોકોના મૃત્યુ પછી, મૃત્યુની સંખ્યા વધીને 1,53,847 થઈ ગઈ છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વેક્સિન આવવાથી લોકોમાં આશાની નવી કિરણ જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરેલા આંકડા પ્રમાણે સંખ્યામાં ઘટાડા સામે સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. દેશમાં રિકવરી રેટમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો હતો.
Weather / રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયા ઠંડુગાર, સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન
હાલ દેશમાં ચેપના કેસ વધીને 1,07,01,193 થઈ ગયા છે. તેની વચ્ચે સાજા થયેલ દર્દીઓનો કુલ આંક 1.02 કરોડને પાર થયો છે. તે જોતાં આવનારા દિવસોમાં ભારતમાં સામાન્ય જીવન શક્ય બનશે તેવું લાગી રહ્યું છે.અત્યાર સુધીમાં દેશમાં જે પરિણામ જોવા મળી રહ્યું છે, તે જોતા નજીકના સમયમાં ભારત કોરોના મુક્ત થાય તેવી આશા લોકોમાં જોવા મળી રહી છે.
Jamnagar / ભયનો માહોલ, ટીના પેઢડીયા પર આજે સવારમાં ફાયરિંગ
તે જ સમયે, 1,73,740 લોકો દેશમાં કોરોના વાયરસના ચેપ માટે સારવાર આપી રહ્યા છે અને 1,03,73,606 લોકો ચેપ મુક્ત થયા છે. ગુરુવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, કોરોના વાયરસને માત આપીને છેલ્લા 24 કલાકમાં 14,301 લોકોને હોસ્પિટલમાંથી ઘરે મોકલવામાં આવ્યા છે.
પશ્ચિમ બંગાળ / મમતા સરકાર વિધાનસભામાં કૃષિ કાયદા વિરુદ્ધ ઠરાવ લાવશે, પાંચ રાજ્યો પહેલા જ ઠરાવ પસાર કરી ચુક્યા છે
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…