કોરોના વાયરસ, જે ચીનમાં ડર પેદા કરી રહ્યો છે, તેણે ભારતને પણ ઘેરી લીધું છે. દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં કોરોના વાયરસનાં ત્રણ શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે. હોસ્પિટલનાં અધિક્ષક ડો.મીનાક્ષી ભારદ્વાજે જણાવ્યું કે, દર્દીઓને સારવાર માટે અલગ રાખવામાં આવ્યા છે. આ પહેલા મુંબઈ, જયપુર અને બિહારની એક યુવતીમાં પણ આ વાયરસનાં સંકેતો જોવા મળ્યા છે. ચીનથી બિહાર પરત આવેલી એક યુવતીને પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (પીએમસીએચ) દાખલ કરવામાં આવી છે. યુવતી બિહારનાં છપરાની છે અને હાલમાં જ ચીનથી પરત આવી છે.
મળતી માહિતી મુજબ ચીનથી પરત ફર્યા બાદ બિહારની આ મહિલા બીમાર થઈ ગઈ હતી. અગાઉ તેને છપરાની એક હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરાઇ હતી. સારવાર દરમિયાન, સ્થાનિક ડોકટરોએ શોધી કાઠ્યું કે સ્ત્રીનાં રોગનાં લક્ષણો કોરોના વાયરસ જેવા જ છે. આ પછી, છોકરીને પટનામાં પીએમસીએચ રિફર કરવામાં આવી હતી. ડોક્ટરોનું કહેવું છે કે મહિલાની તપાસ કરવામાં આવી રહી છે.
રવિવારે જયપુરમાં પણ કોરોના વાયરસનો એક શંકાસ્પદ દર્દી સામે આવ્યો હતો. તેને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ યુવક ચીનમાં અભ્યાસ કરે છે. તે થોડા દિવસો પહેલા ચીનથી પરત આવ્યો છે. જયપુરનાં એસએમએસ હોસ્પિટલનાં અધિક્ષક ડી.એસ. મીણાએ આ બાબતની પુષ્ટિ કરી છે. ડોક્ટરો કહે છે કે સામાન્ય દર્દીઓથી અલગ આ દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.