જામનગર: ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત
કાર -બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
નવાગામ- કાના છીકારી ગામ વચ્ચે અકસ્માત
ઘટનાસ્થળે જ 3 વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
જામનગરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્ય છે. જ્યારે એક વ્યક્તિને ઈજા થઇ છે ઈજાગ્રસ્ત વ્યક્તિની જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ અકસ્માત નવાગામ- કાના છીકારી ગામ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને ત્રણેય મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.
આપને જણાવી દઈએ કે જામનગરના ખંભાળિયા હાઈવે પાસે નવાગામ- કાના છીકારી ગામ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્ય છે. જ્યારે એકને ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા પોલીસ અને 108 ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.