ભારતમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.ત્યારે કોરોનાથી બચવા માટે રામબાણ ઈલાજ હોય તો તે છે રસીકરણ.જેને લઈને સરકારે 18થી ઉપરના તમામ લોકોને તબક્કાવાર રસીકરણ કરી રહ્યું છે.ત્યારે બાદ ભારત બાયોટેકની રસીને લઈને 2થી 18 બાળકોને અભિયાન શરૂ કર્યું છે.
કોરોનાની બીજી લહેર ચાલી રહી છે.આ બધા વચ્ચે રસીકરણનું કામ પણ ચાલુ છે. એક્સપર્ટે અંદેશો જતાવ્યો છે કે જો કોરોનાની ત્રીજી લહેર આવી તો તેમાં બાળકો પર ઘણો પ્રભાવ પડી શકે છે. ત્યારે ત્રીજી લહેરથી બાળકોને બચાવવા માટે રસીકરણ એક ઈલાજ સાબિત થઈ શકે છે.. જેને લઈને SECભારત બાયોટેકની રસીને 2થી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ કરવાની ભલામણને મંજૂરી આપી દીધી છે. હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેકે 2થી 18 વર્ષના બાળકો પર રસીની ટ્રાયલ માટે મંજૂરી માંગી હતી.
આ પણ વાંચો :મહામારીની સ્થિતિમાં કોંગ્રેસે લોકોના મનમાં આશંકા ઊભી કરી, જે.પી.નડ્ડાનો સોનિયા ગાંધીને પત્ર
CDSCO ની કોવિડ-19 વિષયની એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેક દ્વારા કરાયેલી અરજી પર વિચાર વિમર્શ કર્યો.. જેમાં તેમણે કોવેક્સીન રસીની બે વર્ષથી 18 વર્ષના બાળકોમાં સુરક્ષા અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા સહિત અન્ય પરિબળો પર વિચાર વિમસ કરી મજૂરી માટે ભલામણ કરી હતી.અને બીજી અને ત્રીજા ટ્રાયલની મંજૂરી આપી દેવમાં આવી છે.. ભારતમાં હાલ જે બે રસીનો ઉપયોગ થઈ રહ્યો છે તે ફક્ત 18 વર્ષથી વધુ ઉંમરવાળા લોકોને જ રસી આપવામાં આવી રહી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સીનનો હાલ પૂરજોશમાં ઉપયોગ થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ભાવનગરના કોવિડ સેન્ટરમાં આગ લાગતા મચી દોડધામ, કુલ 70 દર્દીઓ હતા દાખલ
આ ક્લિનિકલ ટ્રાયલ 525 લોકો પર કરવામાં આવશે.આ ક્લિનિકલ ટ્રાયલ દિલ્હી એમ્સ, પટણા એમ્સ, નાગપુરની એમ્સ હોસ્પિટલોમાં થશે. કમિટીની ભલામણો મુજબ, ભારત બાયોટેકે ફેઝ 3 ટ્રાયલ શરૂ કરતા પહેલા ફેઝ 2નો સંપૂર્ણ ડેટા ઉપલબ્ધ કરાવવો પડશે. SEC એ અગાઉ ભલામણ કરી હતી કે ભારત બાયોટેકની કોવેક્સીનની ફેઝ 2, ફેઝ 3ના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપવી જોઈએ જે 2 વર્ષથી 18 વર્ષના બાળકો પર કરાશે.ત્રીજી લહેરની ચેતવણી બાદ અનેક રાજ્યોએ પોતાના ત્યાં અત્યારથી જ બાળકો માટે અલગથી હોસ્પિટલ બનાવવા, સ્પેશિયલ કોવિડ કેર સેન્ટર્સ બનાવવા પર કામ શરૂ કરી દીધુ છે.
આ પણ વાંચો :રસોડામાં સેનિટાઈઝર રાખવું પડ્યું ભારે, ગેસ પર પડતા મહિલા સળગતા થયું મોત