અરૂણાચલ પ્રદેશમાં જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે. બિહારમાં ભાજપ સાથે મળીને જેડીયુ સરકાર ચલાવે છે, તે જ સમયે અરુણાચલમાં ભાજપે જ પોતાના સાથી પક્ષને મોટો ઝટકો આપ્યો છે. હવે જોવાનું એ રહેશે કે, આની અસર બિહારના રાજકારણ પર પણ પડશે કે કેમ? જોકે, જ્યારે શુક્રવારે બિહારના મુખ્ય પ્રધાન અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતીશ કુમારને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કંઈપણ બોલવાની ના પાડી દીધી હતી.
શુક્રવારે પટણામાં નીતીશ કુમારે માત્ર એટલું જ કહ્યું કે, આવતીકાલથી આપણી એક પરિષદ (રાષ્ટ્રીય કારોબારી બેઠક) છે. આ સિવાય તેણે કશું કહ્યું નહીં. ભાજપ સાથે, જેડીયુ ફક્ત બિહારમાં જ નહીં, પણ કેન્દ્રની મોદી સરકારમાં પણ છે. નીતીશ કુમારના નિવેદનથી સ્પષ્ટ છે કે જેડીયુ રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરશે.
નોંધપાત્ર વાત એ છે કે, બિહારમાં ભાજપ અને જેડીયુએ મળીને ચૂંટણી લડી હતી અને બહુમતીથી સરકાર બનાવી હતી, પરંતુ પહેલા કેટલાક જેડીયુ નેતાઓએ લોક જનશક્તિ પાર્ટીના નુકસાનને કારણે ભાજપ પ્રત્યે નારાજગી દર્શાવી હતી, હવે કેબિનેટ વિસ્તરણ આ મામલો ઘણા સમયથી અટવાયેલો છે. બિહારમાં આ વખતે નીતીશ કુમારની પાર્ટી ભાજપથી પાછળ રહી ગઈ છે. આવી સ્થિતિમાં, ટોલમોલની શક્તિ જેડીયુ પાસે ઓછી થઇ હોઈ શકે છે. પરંતુ રાજકીય નિષ્ણાતો માને છે કે નીતિશ પાસે ચોક્કસ આ વસ્તુનો તોડ હશે અને તે પણ તેનો બદલો લેવા માંગશે.
અરુણાચલ પ્રદેશમાં જેડીયુના 7 ધારાસભ્યો હતા. હવે 6 ધારાસભ્યો ભાજપમાં આવી જતા બદલાવને કારણે પાર્ટીમાં એક જ ધારાસભ્ય બાકી છે. અરુણાચલ વિધાનસભા દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ, રામગોંગ વિધાનસભા મત વિસ્તારના તાલિમ તાબોહ, ચિયાંગતાજોના હીઆંગ મંગફી, તાલિના જીક્કે ટાકો, બોમદિલાના ડોરજી સીંગ્જુ અને મારિયાંગ-ગેકુ મત વિસ્તારના કંગંગોંગ ટાકુ ભાજપમાં જોડાયા છે.
જેડીયુએ 26 નવેમ્બરના રોજ સિંજુજુ, ખર્મા અને ટકુને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે કારણદર્શક નોટિસ ફટકારી હતી અને તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ છ ધારાસભ્યોએ અગાઉ પક્ષના વરિષ્ઠ સદસ્યોને કથિત જાણ કર્યા વિના તલીમ તાબોહને ધારાસભ્ય પક્ષના નવા નેતા તરીકે પસંદ કર્યા હતા. અરૂણાચલ પ્રદેશના પ્રદેશ ભાજપ અધ્યક્ષ બી.આર. વાઘેએ કહ્યું કે અમે પાર્ટીમાં જોડાવા માટે તેમના પત્રો સ્વીકાર્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…