ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 90 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. આ સાથે, 1290 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જો આપણે એક્ટિવ કેસની વાત કરીએ તો તેની સંખ્યા 10 લાખની નજીક પહોંચી ગઈ છે. વળી કોરોનાનાં કેસની કુલ સંખ્યા 50 લાખને વટાવી ગઈ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 90,123 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત આ રોગચાળાએ 1290 દર્દીઓનો ભોગ લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કેસની કુલ સંખ્યા 50,20,360 પર પહોંચી ગઈ છે. સક્રિય કેસ વિશે વાત કરીએ તો, આંકડો 9,95,933 છે. અત્યાર સુધીમાં 39,42,361 દર્દીઓએ કોરોનાને માત આપી છે. વળી રોગચાળાએ 82,066 દર્દીઓનો ભોગ લીધો છે.
India’s #COVID19 case tally crosses 50-lakh mark with a spike of 90,123 new cases & 1,290 deaths in last 24 hours.
The total case tally stands at 50,20,360 including 9,95,933 active cases, 39,42,361 cured/discharged/migrated & 82,066 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/94CuzPAAUi
— ANI (@ANI) September 16, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.