કોરોનાનું સંક્રમણ જે ગતિએ વધી રહ્યો છે તેના પરથી, અનુમાન લગાવી શકાય છે કે ભારત અમેરિકાને પાછળ છોડી દેશે અને એક દિવસ નંબર વન પર આવી જશે. જણાવી દઇએ કે, સતત બીજા દિવસે દેશમાં કોરોનાનાં 90 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
ઉપરાંત, 1 હજારથી વધુ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 90,802 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 1,016 દર્દીઓનાં મોત થયા છે, આ સાથે ભારતમાં રોગચાળાનાં કેસ 42 લાખને વટાવી ગયા છે.
India’s #COVID19 case tally crosses 42 lakh mark with a spike of 90,802 new cases & 1,016 deaths reported in the last 24 hours.
The total case tally stands at 42,04,614 including 8,82,542 active cases, 32,50,429 cured/discharged/migrated & 71,642 deaths: Ministry of Health pic.twitter.com/TKc9rQKwoc— ANI (@ANI) September 7, 2020
ત્યારબાદ ચેપગ્રસ્તની કુલ સંખ્યા વધીને 42,04,613 થઈ ગઈ છે. વળી, આ સમયગાળા દરમિયાન 1016 લોકો મૃત્યુ પામ્યા છે, મૃતકોની કુલ સંખ્યા 71,642 પર પહોંચી ગઈ છે. નવીનતમ માહિતી અનુસાર દેશમાં આ સમયે 8,82,542 કેસ સક્રિય છે. વળી છેલ્લા 24 કલાકમાં 69,564 લોકો કોરોના વાયરસને હરાવીને રિકવર થવામાં સફળ થયા છે. આ પછી, ઉપચાર કરવામાં આવેલા કુલ લોકોની સંખ્યા વધીને 32,50,429 થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.