રાજકોટ માં થોડા દિવસ પહેલા જ નકલી દૂધ નું કૌભાંડ બહાર આવ્યું હતું . જેમને લઈને સરકાર જાગી છે . દૂધમાં થતી ભેળસેળ અટકાવવા કોર્પોરેશનની ફૂડ શાખાએ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. જેમાં ગોંડલ ચોકડી પરથી પસાર થતા દૂધના વાહનોમાં તપાસ ચાલી રહી હતી . તેમજ સ્થળ પર જ નમૂના લઈને તેનું ટેસ્ટિંગ કરાયું હતું , જેમાં 22 જેટલા દૂધના વાહનોમાંથી નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 4 વાહનોમાં પાણીની ભેળસેળ આવી સામે આવી છે. તેમજ 228 લીટર દૂધ નો નાશ કરવામાં આવ્યો હતો .
ગુજરાત સરકારના ફૂડ વિભાગની ફૂડ સેફ્ટી ઓન વહીલ્સમાં તાત્કાલિક દૂધનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં ભેળસેળ સામે આવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ઉપલેટા પંથકમાંથી ભેળસેળયુક્ત અને નકલી દૂધ રાજકોટ શહેરમાં ઠલવાતું હોવાનું સામે આવ્યા બાદ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર જાગ્યું છે.
આ પણ વાંચો :મિત્રો સાથે તૈમુરની રોડ ટ્રિપ, કરીનાએ દીકરા સાથે ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટમાં કર્યું લંચ
બીજી તરફ એવું પણ સામે આવ્યું છે કે દોઢ જ વર્ષમાં દૂધના 8 નમૂના ફેલ થયા છે. સેમ્પલ ફેલ થવાનો રેશિયો 30 ટકા જેટલો થયો છે જે અન્ય શહેરો કરતા પણ વધારે છે. જેના પરથી કહી શકાય કે રાજકોટ શહેરમાં નકલી દૂધનો વેપલો બેફામ થઈ રહ્યો છે તેના મથકોમાં સૌથી વધારે દૂધની ડેરીઓ અને ચાના કીટલીઓ છે.
બે કેસમાં તો દૂધના નામે પાણી વેચાતું હોય તેવી સ્થિતિ હતી કારણ કે, તેમાંથી 3 કરતા પણ ઓછા ફેટ નીકળ્યા હતા કારણ કે, વેપારીઓએ તેમાં પાણી હદ કરતા વધારે નાખી દીધું હતું. આ સિવાયના તમામ નમૂનાઓમાં ફોરેન ફેટ એટલે કે દૂધમાં ફેટ વધારવા માટે વેજિટેબલ ઘી અથવા સસ્તા તેલની ભેળસેળ નીકળી છે.
આ પણ વાંચો :તાલિબાનોએ કાબુલમાં ટોલો ન્યૂઝના પત્રકારની કરી હત્યાએ અફવા સાબિત થઇ