સુરતનાં લિંબાયતમાં 3 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી બાદમાં મોતને ઘટ ઉતારી દેનાર નરાધમને તેનાં દુષ્કૃત્યની સજા કોર્ટ દ્વારા આપી દેવામા આવી છે. કોર્ટે આ મામલે 9 મહિના અને 14 દિવસમાં જ કેસનો નીકાલ કરી સમાજમાં દાખલા રૂપ ઐતિહાસીક ચુકાદો આપવામા આવ્યો છે. કોર્ટે આ અપરાધમાં નરપિશાચ આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.
સુરતની સેશન્સ કોર્ટે દ્વારા ઐતિહાસિક નિર્ણય આપવામા આવતા, દુષ્કર્મ અને હત્યાનાં આરોપી એવા અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી. આજથી સાડ નવ માસ પહેલા ગુનાને અંજામ આપી નરાધમ પોતાના વતન બિહાર ભાગી છુટ્યો હતો. પોલીસ દ્વારા આ ગુનાનાં આરોપીને શોધવામાં આકાશ-પાતાળ એક કરી આરોપીને બિહારથી ઝડપી લેવામા આવ્યો હતો. બહુ ચકચારી આ કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ પણ કરી હતી. કોર્ટે 38 વિવિધ સાક્ષીઓ, મેડિકલ એવિડન્સીસ, FSLનાં રિપોર્ટ અને પુરાવવા, ઘટના સ્થળ પરથી મળેલા પુરાવા, આરોપીની કોલ ડિટેઇલ, CCTV ફૂટેજ વગેરે તમામ પાસા ધ્યામાં રાખી અપરાધિને આ રાર ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવી છે. બાળકીના પરિવારજનો દ્વારા કોર્ટનાં ચુકાદાથી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો ફક્ત ગુજરાત જ નહીં દેશભરમાં કોર્ટનાં ચુકાદાને આવકાર સાંપડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.