Cow Hug Day Appeal: કેન્દ્ર સરકારે વિપક્ષના વિરોધ વચ્ચે 14 ફેબ્રુઆરીને કાઉ હગ ડે તરીકે ઉજવવાની અપીલ પાછી ખેંચી લીધી છે. અગાઉ, સરકાર હેઠળના એનિમલ વેલફેર બોર્ડે 14 ફેબ્રુઆરીએ ગાય હગ ડે ઉજવવાની અપીલ કરી હતી. આમ આદમી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસ જેવા ઘણા વિરોધ પક્ષોએ 14 ફેબ્રુઆરીને ગાય આલિંગન દિવસ તરીકે મનાવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ સરકારે હવે આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.
શિવસેનાએ 14 ફેબ્રુઆરીને કાઉ હગ દિવસ તરીકે ઉજવવાના નિર્ણય પર સવાલ ઉઠાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. શિવસેનાએ દાવો કર્યો હતો કે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ મોદી માટે પવિત્ર ગાય સમાન છે. TMC સાંસદ શાંતનુ સેને કહ્યું કે કાઉં હગ ડે સ્યુડો-હિન્દુત્વ અને સ્યુડો-દેશભક્તિ છે, જેનો ઉદ્દેશ્ય મુખ્ય પ્રવાહના મુદ્દાઓથી ધ્યાન હટાવવાનો છે. આ દરમિયાન, CPI (M)ના નેતા ઈલામારામ કરીમે ગાય આલિંગન દિવસને દેશ માટે હાસ્યાસ્પદ અને શરમજનક ખ્યાલ ગણાવ્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ રજની પાટીલે કહ્યું કે હું પણ એક ખેડૂત પરિવારમાંથી છું. હું મારી ગાયને રોજ ગળે લગાવું છું, માત્ર એક દિવસ માટે નહીં. આ પગલું બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા માટે છે. એનિમલ વેલ્ફેર બોર્ડે 6 ફેબ્રુઆરીના રોજ જારી કરાયેલ અપીલ પત્રમાં પણ આની પાછળ દલીલો આપી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. તેણી આપણા જીવનને ટકાવી રાખે છે. પ્રાણી સંપત્તિ અને જૈવવિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે. માનવતાને સર્વસ્વ પ્રદાન કરનાર માતા જેવા પોષક સ્વભાવને કારણે તે કામધેનુ અને ગૌમાતા તરીકે ઓળખાય છે.
આ પણ વાંચો: Entertentment/કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું હનીમૂન આ કારણે થઈ શકે છે પોસ્ટપોન