ધોરાજીનાં કોંગ્રેસ MLA લલિત વસોયા દ્વાર સરકારને ખેડૂતો મામલે સણસણતા સવાલ કરવામાં આવ્યા છે. વસોયા દ્વારા કૃષિ મંત્રી આર. સી. ફળદુને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં ખેડૂતો મુદ્દે આક્રોશ વ્યકત કરતા પાકવીમા મુદ્દ વીમા કંપનીનાં કરાર પર વસોયા દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. વસોયા દ્વારા વીમા કંપની સાથે થયેલ કરારની નકલ જાહેર કરવા પત્રમાં માંગ કરવામાં આવી છે.
વસોયા દ્વારા 2019-20માં વીમા કંપની સાથે થયેલ કરારની જોગવાઇમાં ફેરફાર મામલે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વસોયા દ્વારા કૃષિમંત્રીને પત્ર લખી આક્રોશ ઠાલવવાની સાથે સાથે ખેડૂતોને નુકસાનીનો વીમો નહીં મળે તેવી આશંકા પણ વ્યકત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
