બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર એરિયા ચક્રવાતી તોફાન ‘મિચૌંગ’માં ફેરવાઈ ગયું છે. જે સોમવાર એટલે કે 4 ડિસેમ્બરે સવારે તમિલનાડુની રાજધાની ચેન્નાઈ નજીક નેલ્લોર અને મછલીપટ્ટનમ વચ્ચે ટકરાઈ શકે છે. ઈન્ડિયા મીટીરોલોજિકલ સેન્ટર (IMD)ના અનુમાન મુજબ ચક્રવાત ‘મિચૌંગ’ની અસરને કારણે 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જે ભારે તબાહી સર્જી શકે છે. વાવાઝોડાની સંભાવનાને કારણે તમિલનાડુના તિરુવલ્લુર જિલ્લા માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગે રેડ એલર્ટમાં કહ્યું છે કે, ‘મિચૌંગ’ વાવાઝોડાને કારણે આ વિસ્તારમાં 21 સેમી અથવા તેનાથી વધુ ભારે વરસાદની સંભાવના છે. ચક્રવાતી તોફાન ‘મિચૌંગ’ની અસર આંધ્રપ્રદેશ અને ઓડિશામાં પણ જોવા મળશે. આ બંને રાજ્યોમાં દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે અને માછીમારોની સાથે લોકોને દરિયાની નજીક જવાની મનાઈ કરવામાં આવી છે. ‘મિચૌંગ’ ચક્રવાતને કારણે તમિલનાડુમાં અધિકારીઓએ એડવાઈઝરી જારી કરી છે.
જે મુજબ પુડુચેરી, કરાઈકલ અને યમન વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજો 4 ડિસેમ્બર એટલે કે સોમવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી પુડુચેરી અને તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. જો કે ગઈકાલે એટલે કે શુક્રવારે આ વિસ્તારોમાં ચોમાસાની ગતિ ઘટી છે. તમિલનાડુ અને આસપાસના વિસ્તારોમાં ચોમાસું હજુ પણ સક્રિય છે. જેના કારણે રાજ્યમાં છેલ્લા એક મહિનાથી ભારે વરસાદ ચાલુ છે.
હવામાન વિભાગે ઓડિશા માટે પણ એલર્ટ જાહેર કર્યું છે. IMD વૈજ્ઞાનિક ઉમાશંકર દાસના જણાવ્યા અનુસાર, “અમને ડર છે કે આ સિસ્ટમ આગામી 24 કલાક દરમિયાન વધુ તીવ્ર બનીને ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે…વાવાઝોડાના પ્રભાવમાં ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. 3 ડિસેમ્બરથી દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત દક્ષિણ ઓડિશાના ઘણા ભાગોમાં વરસાદી ગતિવિધિઓમાં વધારો થવાની સંભાવના છે. જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેના કારણે 4 ડિસેમ્બર માટે યલો એલર્ટ અને 5 ડિસેમ્બર માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જિલ્લાઓ તમામ માછીમારોને 4 ડિસેમ્બરની સાંજથી આગામી આદેશ સુધી દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: